Entertainment
કરિશ્મા તન્ના ગુરુપૂર્ણીમાના દિવસે જ પુત્રની માતા બની
By GS Team
30 Jul 20261 min read
ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના અને પતિ વરુણ બંગેરાના ઘરે પુત્રનો જન્મ થયો છે. ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે 29 જુલાઈએ આ દંપતી માતા-પિતા બન્યા હતા. મુંબઈમાં પુત્રના જન્મની જાહેરાત સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી. કરિશ્માએ એપ્રિલમાં કરાવેલું મેટર્નિટી ફોટોશૂટ પણ વાયરલ થયું હતું. આ દંપતીએ તેમના પ્રથમ સંતાનને સૌથી મોટો આશીર્વાદ ગણાવ્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info
ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના અને પતિ વરુણ બંગેરાના ઘરે પુત્રનો જન્મ થયો છે. ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે 29 જુલાઈએ આ દંપતી માતા-પિતા બન્યા હતા. મુંબઈમાં પુત્રના જન્મની જાહેરાત સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી. કરિશ્માએ એપ્રિલમાં કરાવેલું મેટર્નિટી ફોટોશૂટ પણ વાયરલ થયું હતું. આ દંપતીએ તેમના પ્રથમ સંતાનને સૌથી મોટો આશીર્વાદ ગણાવ્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- કરિશ્મા, વરુણે સંતાન જન્મની જાહેરાત કરી
- કરિશ્માએ ગત એપ્રિલમાં કરાવેલું મેટર્નિટી ફોટોશૂટ વાયરલ બન્યું હતું
મુંબઇ : જાણીતી ટીવી એકટ્રેસ કરિશ્મા તન્ના અને તેના બિઝનેસમેન પતિ વરૂણ બનગેરાના ઘરે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ૨૯ જુલાઇએ પુત્રનો જન્મ થયો હોવાની જાહેરાત સોશ્યલ મિડિયા દ્વારા કરવામાં આવી હતી.
કરિશ્મા અને વરૂણે પોસ્ટમાં પુત્ર જન્મને તેમનો સૌથી મોટો આશીર્વાદ ગણાવ્યો હતો.
કરિશ્મા અને વરૂણે ફેબ્રુઆરી ૨૦૨૨માં નજીકના પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા. એપ્રિલમાં કરિશ્મા અને વરૂણે મેટર્નિટી ફોટોશૂટ કરાવી તેમની તસવીરો પણ સોશ્યલ મિડિયા પર મુકી સંતાનનો જન્મ ઓગસ્ટમાં થવાની અટકળ કરી હતી. જો કે પુત્રનો જન્મ ૨૯ જુલાઇએ જ થઇ ગયો હતો. કરિશ્મા અને વરૂણને ટીવી અને ફિલ્મ દુનિયામાંથી સહકળાકારોએ પ્રથમ સંતાનના જન્મ બદલ અભિનંદન પાઠવ્યા હતા.









