Entertainment

એકતા કપૂર ત્રાસવાદી હુમલાઓ પર ધી ટેરર રીપોર્ટ ફિલ્મ બનાવશેે

By GS Team
25 Mar 20261 min read
એકતા કપૂર ત્રાસવાદી હુમલાઓ પર ધી ટેરર રીપોર્ટ ફિલ્મ બનાવશેે

મુંબઇ : રણવીર સિંહની 'ધુરંધર' ફિલ્મના બંને ભાગ સફળ થયા બાદ એકતા કપૂરે પણ  સાંપ્રત ઘટનાઓ, રાજકારણ તથા દેશભક્તિ આધારિત ફિલ્મો બનાવવાના ટ્રેન્ડમાં ઝંપલાવ્યું છે. તે 'ધી ટેરર રીપોર્ટ' નામની  ફિલ્મ બનાવી રહી છે  તેમાં ૧૯૯૮થી ૨૦૨૫ સુધીમાં દેશમાં થયેલા જુદા જુદા  આતંકી હુમલાઓની વાત આવરી લેવાશે એમ જાણવા મળે છે. 

અગાઉ એકતા કપૂરે 'ધી સાબરમતી રીપોર્ટ ' ફિલ્મ બનાવી હતી. તેની સીકવલ રુપે આ ફિલ્મ બનાવાઈ રહી છે એમ કહેવાય છે. 

એકતા કપૂરે ફિલ્મનાં દિગ્દર્શન માટે સાઉથના  ડિરેક્ટર વિષ્ણુવર્ધનની પસંદગી કરી હોવાનું કહેવાય છે. વિષ્ણુવર્ધન અગાઉ સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિયારા અડવાણીની ફિલ્મ 'શેરશાહ'નું  દિગ્દર્શન કરી ચૂક્યા છે.