Entertainment

ફિલ્મ 'ધમાલ 4' માટે અજય દેવગન કેમ છે ટેન્શનમાં? રિલીઝ પહેલા કબૂલી આ વાત!

By GS Team
13 Jun 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડના સુપરસ્ટાર અજય દેવગનની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઈઝી 'ધમાલ'ની ચોથી ફિલ્મ 'ધમાલ 4'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શુક્રવારે આ મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર ધમાકેદાર અંદાજમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ હાજર રહી હતી. ટ્રેલર લોન્ચિંગ દરમિયાન અજય દેવગને ખુલ્લા દિલથી સ્વીકાર્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આટલા વર્ષો વિતાવ્યા હોવા છતાં, આજે પણ દરેક ફિલ્મની રિલીઝ પહેલા તેઓ નર્વસ થઈ જાય છે. આ સાથે જ તેમણે બોલિવૂડમાં સીક્વલ ફિલ્મોના સફળ ટ્રેન્ડ વિશે પણ રસપ્રદ વાત કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ફિલ્મ 'ધમાલ 4' માટે અજય દેવગન કેમ છે ટેન્શનમાં? રિલીઝ પહેલા કબૂલી આ વાત!

Ajay Devgn on Being Nervous: બોલિવૂડના સુપરસ્ટાર અજય દેવગનની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઈઝી 'ધમાલ'ની ચોથી ફિલ્મ 'ધમાલ 4'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શુક્રવારે આ મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર ધમાકેદાર અંદાજમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ હાજર રહી હતી. ટ્રેલર લોન્ચિંગ દરમિયાન અજય દેવગને ખુલ્લા દિલથી સ્વીકાર્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આટલા વર્ષો વિતાવ્યા હોવા છતાં, આજે પણ દરેક ફિલ્મની રિલીઝ પહેલા તેઓ નર્વસ થઈ જાય છે. આ સાથે જ તેમણે બોલિવૂડમાં સીક્વલ ફિલ્મોના સફળ ટ્રેન્ડ વિશે પણ રસપ્રદ વાત કરી હતી.

શું દરેક ફિલ્મની રિલીઝ પહેલા અજય દેવગનને પ્રેશર ફીલ થાય છે?

ટ્રેલર લોન્ચ દરમિયાન મીડિયાએ અજય દેવગનને પૂછ્યું કે, "શું ફિલ્મની રિલીઝ પહેલા બોક્સ ઓફિસ કલેક્શનનું પ્રેશર તેમના પર અસર કરે છે?" ત્યારે સિંઘમ સ્ટારે કોઈપણ ખચકાટ વિના ઈમાનદારીથી જવાબ આપ્યો હતો.

અજય દેવગને કહ્યું કે "થોડું-ઘણું પ્રેશર તો રહે જ છે. જ્યારે તમે કોઈ પ્રોજેક્ટ પાછળ આટલી બધી મહેનત કરી હોય, ત્યારે સ્વાભાવિક છે કે ફિલ્મ દર્શકોને પસંદ આવવી જોઈએ અને થિયેટરોમાં ચાલવી જોઈએ. અમારો પ્રયાસ હંમેશા એવી ફિલ્મ બનાવવાનો હોય છે જે લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડે. તેથી જ્યારે ફિલ્મ રિલીઝ થવાની હોય, ત્યારે થોડું પ્રેશર તો દરેક કલાકાર કે મેકર પર આવે જ છે."

બોલિવૂડમાં સીક્વલ ફિલ્મો કેમ આટલી સફળ થાય છે?

આજના સમયમાં સીક્વલ ફિલ્મો બોક્સ ઓફિસ પર કેમ ધૂમ કમાણી કરી રહી છે? તે સવાલના જવાબમાં અજયે પોતાના અનુભવના આધારે સરસ વાત કહી. તેમણે કહ્યું કે, "મને લાગે છે કે કોઈપણ સીક્વલ ફિલ્મ ત્યારે જ કામ કરે છે જ્યારે તેના પાત્રો દર્શકોના દિલમાં વસી ગયા હોય. તમે પછી આ ફિલ્મ 'ધમાલ 4'નું ઉદાહરણ લો કે 'ગોલમાલ'નું, વાચકો અને ચાહકો આ ફિલ્મોના પાત્રોને તેમના નામથી ઓળખે છે. એકવાર દર્શકો પાત્રો સાથે ઈમોશનલી જોડાઈ જાય, ત્યાર પછી જ અમે વાર્તાને આગળ વધારી શકીએ છીએ."

આ પણ વાંચો: 'રૂ.370 બિરયાની'નો વિવાદ: સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણીત મોરેએ માંગી માફી, કહ્યું - 'હું આ નફરતને પાત્ર છું'

'ધમાલ' ફ્રેન્ચાઈઝીની સુપરહિટ સફર

કોમેડીના શોખીનો માટે 'ધમાલ' સિરીઝ હંમેશા ખાસ રહી છે:

વર્ષ 2007: આ સફરની શરૂઆત વર્ષ 2007માં પહેલી સુપરહિટ ફિલ્મ 'ધમાલ'થી થઈ હતી, જેને લોકો આજે પણ ટીવી પર જોવાનું પસંદ કરે છે.

વર્ષ 2011: આ પાત્રોની લોકપ્રિયતાને કારણે 2011માં તેની સીક્વલ ‘ડબલ ધમાલ' રિલીઝ થઈ.

વર્ષ 2019: આ સિરીઝની ત્રીજી ફિલ્મ 'ટોટલ ધમાલ'માં અજય દેવગનની એન્ટ્રી થઈ અને આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા.

આ ત્રણેય ફિલ્મો કોમર્શિયલી બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને હવે આ જ જાદુને ફરીથી મોટા પડદા પર લાવવા માટે 'ધમાલ 4' આગામી 10 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.