Daily Current Affairs

પ્રોજેક્ટ ચિત્તા: ભારતમાં ચિત્તા પુનઃસ્થાપનના 4 વર્ષ પૂર્ણ, વસ્તી 52 સુધી પહોંચી

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
ભારતના મહત્વાકાંક્ષી 'પ્રોજેક્ટ ચિત્તા'ને 17 સપ્ટેમ્બર, 2026ના રોજ 4 વર્ષ પૂર્ણ થયા છે. આ વિશ્વનો પ્રથમ આંતરખંડીય લાર્જ વાઇલ્ડ કાર્નિવોર ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ છે. 1952માં ભારતમાં વિલુપ્ત થયેલા ચિત્તાઓને આફ્રિકાથી લાવીને પુનઃસ્થાપિત કરાયા છે. હાલ કુલ 52 ચિત્તા ભારતમાં છે, જેમાં 32નો જન્મ ભારતમાં થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રોજેક્ટ ચિત્તા: ભારતમાં ચિત્તા પુનઃસ્થાપનના 4 વર્ષ પૂર્ણ, વસ્તી 52 સુધી પહોંચી

17 સપ્ટેમ્બર, 2026ના રોજ ભારતના મહત્ત્વાકાંક્ષી 'પ્રોજેક્ટ ચિત્તા'ને 4 વર્ષ પૂર્ણ થયા છે. આ વિશ્વનો સૌપ્રથમ આંતરખંડીય લાર્જ વાઇલ્ડ કાર્નિવોર ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ છે, જેના હેઠળ 1952માં ભારતમાં વિલુપ્ત જાહેર થયેલા ચિત્તાઓને આફ્રિકાથી લાવીને પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યા છે. 

મુખ્ય તબક્કા અને ઇતિહાસ

  • 17 સપ્ટેમ્બર 2022: નામીબિયાથી 8 ચિત્તા લાવવામાં આવ્યા અને કુનો નેશનલ પાર્કમાં મુક્ત કરાયા.
  • 18 ફેબ્રુઆરી 2023: દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લવાયા (હાલ તેમાંથી 8 જીવિત છે અને 10 નવા વંશજો સાથે 18 ચિત્તા છે).
  • 28 ફેબ્રુઆરી 2026: બોત્સ્વાના થી 9 નવા ચિત્તાઓનો સમાવેશ કરાયો.

વર્તમાન વસ્તી અને સ્થિતિ 

ભારતમાં ચિત્તાઓની કુલ વસ્તી 52 એ પહોંચી છે, જેમાંથી 32 ચિત્તાઓનો જન્મ ભારતમાં જ થયો છે. કુલ 52 ચિત્તાઓમાંથી 49 કુનો નેશનલ પાર્ક (મધ્યપ્રદેશ) અને 3 ગાંધી સાગર અભયારણ્ય (મધ્યપ્રદેશ) ખાતે છે.

ચિત્તાની સંરક્ષણ સ્થિતિ 

નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) પ્રોજેક્ટ ચિત્તાની અમલીકરણ માટે નોડલ સંસ્થા છે. એનટીસીએ એ 2023 માં ચિટા પ્રોજેક્ટ સ્ટીયરિંગ કમિટીની રચના કરી હતી, જેનો હેતુ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા, દેખરેખ અને માર્ગદર્શન કરવાનો હતો.

ચિત્તા (એસિનોનિક્સ જુબાટસ) CITES પરિશિષ્ટ-I માં સૂચિબદ્ધ છે. પરિશિષ્ટ-I માં એવી પ્રજાતિઓનો સમાવેશ થાય છે જે લુપ્ત થવાના જોખમથી સૌથી વધુ પ્રભાવિત છે અને આંતરરાષ્ટ્રીય વેપાર પર કડક નિયંત્રણ લાગુ પડે છે. 

ભારતમાં તાજેતરના પુનઃપ્રસાર પ્રયાસો દ્વારા ચિત્તાને ફરીથી જંગલમાં સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. એશિયાઈ ચિત્તાની (એસિનોનિક્સ જુબાટસ વેનેટિકસ) બાકી રહેલી જંગલી વસ્તી ઈરાનમાં છે. 

આફ્રિકન ચિત્તા IUCN દ્વારા સંવેદનશીલ (Vulnerable) તરીકે સૂચિબદ્ધ છે જ્યારે એશિયાઈ ચિત્તા ગંભીર રીતે લુપ્તપ્રાય (Critically Endangered) તરીકે સૂચિબદ્ધ છે.

અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન

પ્રશ્ન 1: ભારતમાં "પ્રોજેક્ટ ચિત્તા" અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો:

  1. તે વિશ્વનો પ્રથમ આંતર-ખંડીય મોટા જંગલી માંસાહારી પ્રાણી સ્થળાંતર પ્રોજેક્ટ છે.
  2. નામિબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુનો નેશનલ પાર્કમાં ચિત્તા લાવવામાં આવ્યા હતા
  3. એશિયાટીક ચિત્તા એ સબ-સ્પીસીસ છે જેને દાખલ કરવામાં આવી રહી છે.
  4. 1952માં ભારતમાં ચિત્તા વિલુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા.

ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

(A) ફક્ત 1 અને 2

(B) ફક્ત 1, 2 અને 4

(C) ફક્ત 3 અને 4

(D) 1,2,3 અને 4