Daily Current Affairs

છોટા ઉદેપુરની પીઠોરા ચિત્રકલાની મધ્ય ઝોનમાં આગવી ઓળખ

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સરકારે હાથશાળ અને હસ્તકલા પુરસ્કારો જાહેર કર્યા છે. છોટાઉદેપુરના રાઠવા દેસિંગભાઈ ચિલીયાભાઈને પીઠોરા પેઇન્ટિંગ ક્ષેત્રે મધ્ય ઝોનમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે. પીઠોરા ચિત્રકલા એ રાઠવા આદિવાસીઓની પ્રાચીન, પવિત્ર અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા છે, જે ધાર્મિક અનુષ્ઠાનનો ભાગ છે. આ ચિત્રો ઘરની દીવાલો પર દોરાય છે અને 'લખારા' કલાકારો દ્વારા બનાવાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુરની પીઠોરા ચિત્રકલાની મધ્ય ઝોનમાં આગવી ઓળખ

ગુજરાત સરકારના હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રના પુરસ્કારો હેઠળ, છોટાઉદેપુર જિલ્લાના રાઠવા દેસિંગભાઈને પીઠોરા પેઇન્ટિંગના ક્ષેત્રમાં મધ્ય ઝોનમાં પ્રથમ ક્રમાંક માટે પસંદ કરવામાં આવ્યા છે. 

પીઠોરા ચિત્રકલા 

પીઠોરા ચિત્રકલા એ ગુજરાત અને મધ્ય પ્રદેશના આદિવાસી સમુદાયો, ખાસ કરીને છોટાઉદેપુર અને પંચમહાલ વિસ્તારના રાઠવા આદિવાસીઓની એક અત્યંત પ્રાચીન, પવિત્ર અને સમૃદ્ધ સાંસ્કૃતિક ચિત્રકળા છે. 

1. મુખ્ય વિશિષ્ટતાઓ અને સાંસ્કૃતિક મહત્વ

  • પીઠોરા એ માત્ર મનોરંજન કે સુશોભન માટેનું ચિત્ર નથી, પરંતુ રાઠવા સમાજમાં કોઈ મનોકામના પૂર્ણ થાય કે માનતા પૂરી કરવા માટે કરવામાં આવતું એક ધાર્મિક અનુષ્ઠાન છે.
  • આ ચિત્રો કાગળ કે કેનવાસ પર નહીં, પરંતુ ઘરની મુખ્ય દીવાલો પર દોરવામાં આવે છે. ચિત્રકામ પહેલાં દીવાલને માટી અને ગાયના છાણના લીંપણથી તૈયાર કરવામાં આવે છે, જે કાર્ય પરંપરાગત રીતે અપરિણીત કન્યાઓ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ તૈયાર કરેલી દીવાલ પર વિવિધ ચિત્રો દોરવામાં આવે છે. 
  • આ ચિત્રો દોરનારા વિશેષ કલાકારોને સ્થાનિક ભાષામાં 'લખારા' કહેવામાં આવે છે. ચિત્ર દોરવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન પવિત્રતા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે.

2. વિષયવસ્તુ અને પ્રતીકો 

  • આ ચિત્રકળાના મુખ્ય દેવ 'બાબા પીઠોરા' છે. ચિત્રમાં ઘોડાઓનું વિશેષ મહત્વ હોય છે, જેમાં દેવી-દેવતાઓને ઘોડા પર સવાર દર્શાવવામાં આવે છે.
  • ચિત્રોમાં સૂર્ય, ચંદ્ર, પક્ષીઓ, પ્રાણીઓ, ખેતીકામ, ડાંગરની લણણી, લગ્નપ્રસંગો અને આદિવાસી જીવનશૈલીના વિવિધ દ્રશ્યો આલેખવામાં આવે છે.
  • પરંપરાગત રીતે રંગો બનાવવા માટે વનસ્પતિ, પાંદડાં, ફૂલો, દૂધ, મિશ્રિત માટી અને કુદરતી તત્ત્વોનો ઉપયોગ કરવામાં આવે છે.

પરીક્ષાલક્ષી પ્રશ્નો: 

પ્રશ્ન 1. પીઠોરા ચિત્રકલા મુખ્યત્વે ગુજરાતના કયા આદિવાસી સમુદાય સાથે સંકળાયેલી છે?

A. વારલી
B. રાઠવા
C. કુંકણા
D. ડાંગિયા

પ્રશ્ન 2. પીઠોરા ચિત્રકલા અંગે નીચેના નિવેદનો ધ્યાનમાં લો:

  1. તે ગુજરાતની આદિવાસી લોકકળા છે.
  2. તે રાઠવા સમુદાય સાથે સંકળાયેલી છે.
  3. ચિત્રો દોરનારા કલાકારોને 'લખારા' કહેવામાં આવે છે.
  4. તેનો મુખ્ય સંબંધ કચ્છ વિસ્તાર સાથે છે.

યોગ્ય જવાબ પસંદ કરો:

A. માત્ર 1 અને 2
B. માત્ર 1, 2 અને 3
C. માત્ર 2, 3 અને 4
D. 1, 2, 3 અને 4