Daily Current Affairs

ભારત-થાઇલેન્ડ ‘મૈત્રી-XV’ સંયુક્ત સૈન્ય કવાયત માટે ભારતીય દળ રવાના

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
ભારતીય સેનાની ટુકડી 17 ઑગસ્ટ 2026ના રોજ થાઈલેન્ડ જવા રવાના થઈ છે. ત્યાં 18 થી 31 ઑગસ્ટ દરમિયાન 'મૈત્રી-XV' સંયુક્ત સૈન્ય અભ્યાસનું આયોજન થશે. થાઈલેન્ડના સુરાત થાની ખાતે વિભાવાડી રંગસિત કેમ્પમાં યોજાનારા આ 15મા સંસ્કરણમાં બંને સેનાઓ આતંકવાદ વિરોધી કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરશે. જંગલ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં લશ્કરી કૌશલ્ય સુધારવાનો મુખ્ય હેતુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત-થાઇલેન્ડ ‘મૈત્રી-XV’ સંયુક્ત સૈન્ય કવાયત માટે ભારતીય દળ રવાના

17 ઑગસ્ટ 2026ના રોજ ભારતીય સેનાની ટુકડી થાઈલેન્ડ માટે રવાના થઈ, જ્યાં ભારત અને થાઈલેન્ડ વચ્ચેના સંયુક્ત સૈન્ય અભ્યાસ મૈત્રી-XV (MAITREE-XV)નું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભ્યાસનું 15મું સંસ્કરણ છે અને તે 18 ઑગસ્ટથી 31 ઑગસ્ટ 2026 દરમિયાન થાઈલેન્ડના સુરાત થાની ખાતેના વિભાવાડી રંગસિત કેમ્પમાં યોજાવાનું છે.

આ અભ્યાસ દરમિયાન બંને દેશોની સેનાઓ કાઉન્ટર-ઈન્સર્જન્સી (વિદ્રોહ વિરોધી) અને કાઉન્ટર-ટેરરિઝમ (આતંકવાદ વિરોધી) કામગીરી માટે સંયુક્ત તાલીમ લેશે. ખાસ કરીને જંગલ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં લશ્કરી કામગીરી પર ભાર મૂકવામાં આવશે. 

મૈત્રી (MAITREE) અભ્યાસ: 

મૈત્રી કવાયત એ ભારતીય સેના અને રોયલ થાઈ આર્મી વચ્ચે યોજાતો એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાર્ષિક સૈન્ય અભ્યાસ છે, જેની શરૂઆત વર્ષ ૨૦૦૬માં કરવામાં આવી હતી. આ સૈન્ય અભ્યાસ બંને દેશોની સેનાઓ વચ્ચે 'કંપની-સ્તર' ની તાલીમ આપવાના સ્વરૂપે યોજાય છે. 

મૈત્રી નો મુખ્ય હેતુ:

  • આતંકવાદ અને વિદ્રોહ વિરોધી કામગીરી: સંયુક્ત રાષ્ટ્ર (UN) ના ચાર્ટરના પ્રકરણ VII (Chapter VII) હેઠળ જંગલ અને અર્ધ-શહેરી (Semi-urban) વિસ્તારોમાં કાઉન્ટર-ઈન્સર્જન્સી (વિદ્રોહ વિરોધી) અને કાઉન્ટર-ટેરરિઝમ (આતંકવાદ વિરોધી) કામગીરી માટે બંને દેશોની સેનાઓને તાલીમ આપવી.
  • સંયુક્ત યુદ્ધ કૌશલ્યનો વિકાસ: સંયુક્ત લશ્કરી યોજનાઓ ઘડવી, ફિલ્ડ એક્સરસાઇઝ કરવી અને યુદ્ધ ક્ષેત્રે નિર્ણય લેવાની ક્ષમતા સુધારવી.
  • અનુભવો અને ટેકનોલોજીનું આદાન-પ્રદાન: બંને દેશોની સેનાઓ પોતાના ઓપરેશનલ અનુભવો આદાન-પ્રદાન કરે છે અને આધુનિક શસ્ત્રો તથા તકનીકોનું પ્રદર્શન અને વિનિમય કરે છે.
  • સંરક્ષણ સહયોગ: ભારત અને થાઈલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને લશ્કરી સુમેળ (Interoperability) ને વધુ મજબૂત બનાવવો.

સંભવિત પ્રશ્નો:

  1.  મૈત્રી કવાયત કયા બે દેશો વચ્ચે યોજાતો દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ છે?
    (A) ભારત–મ્યાનમાર
    (B) ભારત–થાઈલેન્ડ
    (C) ભારત–વિયેતનામ
    (D) ભારત–ઇન્ડોનેશિયા
  2. નીચેના નિવેદનો ધ્યાનમાં લો:
    1. મૈત્રીની શરૂઆત 2006માં થઈ હતી.
    2. મૈત્રી ભારત અને થાઈલેન્ડ વચ્ચેનો દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ છે.
    3. મૈત્રી-XIVનું આયોજન 2025માં ઉમરોઈ, મેઘાલય ખાતે થયું હતું.
    4. મૈત્રીનો મુખ્ય ફોકસ માત્ર દરિયાઈ યુદ્ધ છે.
    ઉપરોક્ત પૈકી કયાં નિવેદનો સાચાં છે?
    (A) માત્ર 1 અને 2
    (B) માત્ર 1, 2 અને 3
    (C) માત્ર 2, 3 અને 4
    (D) 1, 2, 3 અને 4