જોધપુરમાં ભારત-જાપાનનો હવાઈ યુદ્ધાભ્યાસ, તેજસ-રાફેલ અને F-2A લેશે ભાગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય વાયુસેના અને જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ વચ્ચે દ્વિપક્ષીય હવાઈ યુદ્ધભ્યાસ ‘વીર ગાર્ડિયન-2026’નું આયોજન 9 સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બર 2026 દરમિયાન એર ફોર્સ સ્ટેશન જોધપુર (રાજસ્થાન) ખાતે કરવામાં આવેલ છે. ભારતનું સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ, સુખોઇ (Su-30 MKI) અને રાફેલ અને જાપાનનું F-2A ફાઇટર એરક્રાફ્ટ આ યુદ્ધભ્યાસમાં ભાગ લેશે.
આ યુદ્ધભ્યાસનો મુખ્ય હેતુ બંને દેશોની વાયુસેનાઓ વચ્ચે ઓપરેશનલ તાલમેલ વધારવો, વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવી અને એરોસ્પેસ સુરક્ષા ક્ષેત્રે વિનિમય સાધવાનો છે.
ભારત અને જાપાન વચ્ચેના અન્ય મુખ્ય યુદ્ધભ્યાસ
- ધર્મ ગાર્ડિયન: ભૂમિસેના વચ્ચેનો યુદ્ધભ્યાસ.
- જિમેક્સ (JIMEX): નૌકાસેના વચ્ચેનો યુદ્ધભ્યાસ.
- શિન્યુઉ મૈત્રી: વાયુસેના વચ્ચેનો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અભ્યાસ.
- માલાબાર અભ્યાસ: બહુપક્ષીય નૌકાભ્યાસ (જેમાં ભારત, જાપાન, યુ.એસ.એ. અને ઓસ્ટ્રેલિયા – QUAD દેશો ભાગ લે છે).
પરિક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1: ભારત–જાપાન સંરક્ષણ સહયોગ સંદર્ભે નીચેના પૈકી કયાં જોડાણો સાચાં છે?
- વીર ગાર્ડિયન 26 — વાયુસેના કવાયત
- ધર્મ ગાર્ડિયન — થલસેના કવાયત
- JAIMEX — નૌકાદળ કવાયત
- શિન્યુઉ મૈત્રી— ભૂમિસેના વચ્ચેનો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અભ્યાસ.
સાચો જવાબ પસંદ કરો:
(A) માત્ર 1, 2 અને 3
(B) માત્ર 1, 2 અને 4
(C) માત્ર 2, 3 અને 4
(D) 1, 2, 3 અને 4




