Daily Current Affairs

ઇ-શ્રમ પોર્ટલનાં 5 વર્ષ પૂર્ણ : અસંગઠિત શ્રમિકોની સામાજિક સુરક્ષાને મજબૂત કરતી પહેલ

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 2021માં શરૂ થયેલ ઇ-શ્રમ પોર્ટલે 26 ઓગસ્ટ, 2026ના રોજ 5 વર્ષ પૂર્ણ કર્યા. ભારતના અસંગઠિત શ્રમિકો માટે આ પોર્ટલે 12 અંકનો UAN નંબર આપ્યો છે. 22 ભાષાઓમાં ઉપલબ્ધ આ પોર્ટલ 15 સામાજિક સુરક્ષા યોજનાઓને જોડીને શ્રમિકોને કલ્યાણકારી સેવાઓ પૂરી પાડે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ નોંધણી થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇ-શ્રમ પોર્ટલનાં 5 વર્ષ પૂર્ણ : અસંગઠિત શ્રમિકોની સામાજિક સુરક્ષાને મજબૂત કરતી પહેલ

26 ઓગસ્ટ, 2026ના રોજ ઇ-શ્રમ પોર્ટલ એ ભારતના અસંગઠિત શ્રમિકો માટે સામાજિક સુરક્ષાને મજબૂત કરવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કરીને તેનાં 5 વર્ષ પૂર્ણ કર્યાં છે. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 2021માં શરૂ કરવામાં આવેલ આ પોર્ટલે દેશનો પહેલો રાષ્ટ્રીય અસંગઠિત શ્રમિક ડેટાબેઝ તૈયાર કર્યો છે. 

પોર્ટલની મુખ્ય વિશેષતાઓ અને ઉદ્દેશ્યો:

  • આ પોર્ટલ દરેક નોંધાયેલા શ્રમિકને 12 અંકનો યુનિક યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) નંબર પૂરો પાડે છે.
  • આ વન-સ્ટોપ પ્લેટફોર્મ કલ્યાણકારી યોજનાઓ, રોજગાર, કૌશલ્ય (skilling) અને પેન્શન સેવાઓને એક જ પ્લેટફોર્મ પર જોડે છે.
  • આ પ્લેટફોર્મ પ્રધાન મંત્રી શ્રમ યોગી માન ધન યોજના (PM-SYM), પ્રધાન મંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY), પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) જેવી 15 મુખ્ય સામાજિક સુરક્ષા યોજનાઓને જોડે છે.
  • ભાષિણી પ્લેટફોર્મ AI ભાષા મોડેલોને વધુ સક્ષમ બનાવવા માટે વિવિધ ભારતીય ભાષાઓનો ડેટા એકત્ર કરે છે અને ભાષિણી પ્લેટફોર્મની મદદથી આ પોર્ટલ 22 ભાષાઓમાં ઉપલબ્ધ છે.
  • કૃષિ, ઘરેલુ અને ઘરકામ કરનાર શ્રમિકો, બાંધકામ અને એપેરલ (વસ્ત્ર ઉદ્યોગ) ક્ષેત્રે સૌથી વધુ નોંધણી થઈ છે.
  • ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ નોંધણી નોંધાઈ છે.

પાત્રતા અને નોંધણી પ્રક્રિયા:

  • 16 થી 59 વર્ષની વય જૂથનો કોઈપણ અસંગઠિત શ્રમિક જે આવકવેરો ભરતો ન હોય અને EPFO કે ESIC નો સભ્ય ન હોય તે નોંધણી માટે પાત્ર છે.
  • ઇ-શ્રમ પોર્ટલ પર નોંધણી સંપૂર્ણપણે મફત છે.
  • નોંધણી માટે આધાર ઇ-કેવાયસી માટે આધાર સાથે લિંક હોય તેવો મોબાઇલ નંબર જરૂરી છે.

અગાઉની પરીક્ષામાં પૂછયેલ પ્રશ્ન

પ્રશ્ન 1: ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ભાષિની મિશનની મુખ્ય કાર્યકારી વ્યૂહરચનાનું નીચેનામાંથી કયું શ્રેષ્ઠ વર્ણન કરે છે?

(A) તે એક કેન્દ્રીય ડેટાબેઝ છે, જે તમામ ઈ-ગવર્નન્સ વ્યવહારો માટે પ્રાથમિક ભાષા તરીકે અંગ્રેજીને સ્થાને હિન્દી કરવા માટે રચાયેલ છે.

(B) તે એક ઇકોસિસ્ટમ છે, જે AI મોડેલોને તાલીમ આપવા માટે વિવિધ ભાષા ડેટાસેટ્સ એકત્રિત કરવા માટે 'ભાષા દાન' નામની ક્રાઉડસોર્સિંગ પહેલનો ઉપયોગ કરે છે.

(C) તે એક હાર્ડવેર-આધારિત પ્રોજેક્ટ છે, જેનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં અનુવાદ સોફ્ટવેરથી ભરેલા સ્વદેશી, ઓછી કિંમતના સ્માર્ટફોનનું વિતરણ કરવાનો છે.

(D) તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રાદેશિક ભાષા સામગ્રીનું નિરીક્ષણ અને સેન્સર કરવા માટે સ્થાપિત એક નિયમનકારી સંસ્થા છે.