Business

ઘર ખરીદવાથી લઈને વિદેશમાં ફરવા સુધી... 1 એપ્રિલથી ટેક્સ સંબંધિત 7 મોટા નિયમ બદલાશે

By GS Team
15 Mar 20264 mins read
TukuTouch Logo
દેશમાં ટેક્સપેયર્સ માટે 1 એપ્રિલથી ટેક્સના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. નાણામંત્રી સીતારમણે બજેટમાં જે એલાન કર્યા હતા તે હવે લાગુ થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તમે નોકરી કરતા હોય, બિઝનેસમેન હોવ કે રોકાણકાર આ ફેરફારોની અસર તમારા ખિસ્સા અને ટેક્સ ભરવાની રીત પર પડી શકે છે. આ સાથે જ કેટલાક ખાસ લોકો માટે ઈનકમટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે, જેનાથી તેમને તેમના કાગળકામ પૂર્ણ કરવા માટે વધુ સમય મળી જશે. આ ઉપરાંત સરકારે કેટલીક નવી ટેક્સ છૂટ પણ આપી છે, જેનાથી તમારો ટેક્સ ઓછો થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘર ખરીદવાથી લઈને વિદેશમાં ફરવા સુધી... 1 એપ્રિલથી ટેક્સ સંબંધિત 7 મોટા નિયમ બદલાશે

New Tax Rules April 2026: દેશમાં ટેક્સપેયર્સ માટે 1 એપ્રિલથી ટેક્સના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. નાણામંત્રી સીતારમણે બજેટમાં જે એલાન કર્યા હતા તે હવે લાગુ થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તમે નોકરી કરતા હોય, બિઝનેસમેન હોવ કે રોકાણકાર આ ફેરફારોની અસર તમારા ખિસ્સા અને ટેક્સ ભરવાની રીત પર પડી શકે છે. આ સાથે જ કેટલાક ખાસ લોકો માટે ઈનકમટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે, જેનાથી તેમને તેમના કાગળકામ પૂર્ણ કરવા માટે વધુ સમય મળી જશે. આ ઉપરાંત સરકારે કેટલીક નવી ટેક્સ છૂટ પણ આપી છે, જેનાથી તમારો ટેક્સ ઓછો થઈ શકે છે.

1.શેર બાયપેક પર ટેક્સનો નિયમ

જ્યારે કોઈ કંપની પોતાના જ શેર રોકાણકારો પાસેથી  પાછા ખરીદે છે, ત્યારે તેને બાયબેક કહેવામાં આવે છે. પહેલાં  બાયબેકમાંથી મળેલી સંપૂર્ણ રકમ ડિવિડેન્ડ માનવામાં આવતી હતી અને તેના પર તમારી ઈનકમ સ્લેબના હિસાબે ટેક્સ લાગતો હતો. પણ તેને હવે કેપિટલ ગેન માનવામાં આવશે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે સમગ્ર રકમ પર ટેક્સ નહીં ચૂકવવો પડશે, પરંતુ ફક્ત એ કમાણી પર ટેક્સ આપવો પડશે જે તમે શેર વેચીને કમાયા છો. ઉદાહરણ તરીકે જો તમે શેર 100 રૂપિયામાં ખરીદ્યો અને કંપનીએ તેમને 150 રૂપિયામાં બાયપેક કર્યા, તો ટેક્સ માત્ર 50 રૂપિયાના  નફા પર લાગશે.

2.ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ

જો તમે શેરબજારમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O)માં ટ્રેડ કરો છો, તો હવે તમારે સરકારને વધુ ટેક્સ ચૂકવવો પડશે. ફ્યુચર્સની વાત કરીએ તો પહેલા ટેક્સ 0.02% હતો, જે હવે વધીને 0.05% થઈ ગયો છે. બીજી તરફ ઓપ્શન્સ પર ટેક્સ 0.1% થી વધીને 0.15% કરી દીધો છે. હવે દરેક વાર ટ્રેડ કરતી વખતે તમને વધુ ટેક્સ લાગશે, જેનાથી તમારા નફામાં થોડો ઘટાડો થઈ શકે છે. ટ્રેડિંગમાં વધતા જોખમને કારણે સરકારે આ પગલું ભર્યું છે.

3.સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) પર નવો નિયમ

પહેલાં  સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) વેચવા અથવા મેચ્યોર થવા પર ટેક્સની છૂટ તમામને મળતી હતી, પરંતુ સરકારે હવે તેમાં કેટલાક ફેરફારો કર્યા છે. પહેલા તમને એ જણાવીએ કે, આમાં છૂટ કોને મળશે. જો તમે સીધા સરકાર પાસેથી બોન્ડ ખરીદ્યા છે અને મેચ્યોરિટી સુધી પોતાની પાસે રાખો છો, તો તમારે નફા પર કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડશે. પરંતુ જો તમે આ બોન્ડ શેરબજારમાંથી કોઈ બીજા પાસેથી ખરીદો છો, તો હવે તેમને વેચવા પર મળેલા નફા પર તમારે ટેક્સ આપવો પડશે. આનો અર્થ એ છે કે સેકન્ડ-હેન્ડ બોન્ડ ખરીદનારાઓ માટે ટેક્સ ફ્રી વાળો લાભ હવે સમાપ્ત થઈ ગયો છે.

4. ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ ફંડથી કમાણી

જો તમને શેરોમાંથી મળતા ડિવિડન્ડ અથવા મ્યુચ્યુઅલ ફંડથી થતી કમાણી પર વ્યાજનો લાભ ઉઠાવતા હતા, તો હવે તે બંધ કરવામાં આવી રહ્યું છે. પહેલાં જો તમે રોકાણ કરવા માટે પૈસા ઉધાર લીધા હોય, તો તમે તમારા રોકાણથી  થયેલી કમાણીમાંથી તે લોનના 20% વ્યાજને ઘટાડી શકતા હતા. આનાથી તમારી ટેક્સેબલ ઈનકમ ઓછી થઈ જતી હતી. પરંતુ હવે આ નિયમને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.

5. ફોર્મ 15G/15H જમા કરવું થયું સરળ

જો તમારી કુલ વાર્ષિક આવક કર મુક્તિ મર્યાદાથી ઓછી હોય, તો તમે TDS કપાતથી બચવા માટે ફોર્મ 15G અથવા ફોર્મ 15H ભરો છો. પહેલાં આ ફોર્મ અલગ અલગ કંપનીઓ અથવા ફંડ હાઉસને મોકલવા પડતા હતા, જે ખૂબ જ મુશ્કેલીભર્યું કામ હતું. પરંતુ હવે તમે આ ફોર્મ સીધા તમારી ડિપોઝિટરીમાં સબમિટ કરી શકો છો. કારણ કે, તમારા શેર અને મ્યુચ્યુઅલ ફંડ ડીમેટમાં હોય છે, તો એક જ જગ્યાએ આ ફોર્મ સબમિટ કરવાથી તમારી બધી સિક્યોરિટીઝ પર TDSની ઝંઝટ દૂર થઈ જશે.

6. ઘર અથવા જમીન ખરીદવું સરળ બન્યું

પહેલાં જ્યારે કોઈ એવી વ્યક્તિ પાસેથી પ્રોપર્ટી ખરીદવામાં આવતી હતી, જે ભારતની બહાર રહે છે, તો ટેક્સ ડિડક્શન એકાઉન્ટ નંબર (TAN) લેવો પડતો હતો. આ એક લાંબી અને ઝંઝટ વાળી પ્રોસેસ હતી. પણ હવે 1 એપ્રિલથી તમારે તમારે કોઈ TAN નંબરની જરૂર નહીં પડશે. તમે તમારા PAN અથવા આધાર કાર્ડનો ઉપયોગ કરીને TDS કાપી અને જમા કરી શકો છો.

આ પણ વાંચો: 'પહેલાથી જ ખરાબ હતું વિમાન...', અમદાવાદ પ્લેન ક્રેશ અંગે અમેરિકન એજન્સીનો મોટો દાવો

7. વિદેશ ફરવું સસ્તું થયું

પહેલાં વિદેશ ફરવા જવા માટે પેકેજ બુક કરતા હતા, તો પહેલા સરકાર તેના પર ખૂબ જ ઊંચી TCS વસૂલતી હતી. આનો અર્થ એ થયો કે 7 લાખ સુધીના ખર્ચ પર 5% અને તેનાથી વધુ ખર્ચ પર 20% કર વસૂલવામાં આવતો હતો. પરંતુ હવે, પેકેજની કિંમત ગમે તે હોય ફક્ત 2% TCS વસૂલવામાં આવશે.