Business

માર્ચમાં FPIનો રોકાણ પ્રવાહ FAR હેઠળ નકારાત્મક થઈ ગયો

By GS Team
24 Mar 20261 min read
માર્ચમાં FPIનો રોકાણ પ્રવાહ FAR હેઠળ નકારાત્મક થઈ ગયો

અમદાવાદ : માર્ચ ૨૦૨૬ માં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનો (એફપીઆઈ) સંપૂર્ણપણે સુલભ માર્ગ (FAR) હેઠળ સરકારી સિક્યોરિટીઝમાં પ્રવાહ નકારાત્મક થઈ ગયો, જે આ વર્ષની શરૂઆતમાં વૈશ્વિક જોખમની લાગણી નબળી પડતા જોવા મળતા પ્રવાહના વલણને ઉલટાવી ગયો હતો.

ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારોએ માર્ચમાં અત્યાર સુધીમાં રૂ. ૧૩,૦૨૭ કરોડ મૂલ્યની FAR સિક્યોરિટીઝનું ચોખ્ખું વેચાણ કર્યું છે.

બજારના સહભાગીઓએ જણાવ્યું હતું કે આ ઉલટો પ્રવાહ મુખ્યત્વે વૈશ્વિક જોખમને કારણે જોવાયો છે. પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરથી ઉપર પહોંચી ગયા છે, જેનાથી આયાતી ફુગાવો અને ભારતની ચાલુ ખાતાની ખાધ અંગે ચિંતા વધી ગઈ છે. તેલના ઊંચા ભાવે પણ રૂપિયા પર દબાણ વઘાર્યું છે., જેના કારણે વિદેશી રોકાણકારો માટે વળતર પણ ઘટયું છે.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના દ્રષ્ટિકોણથી, ઇક્વિટી સ્પષ્ટપણે નકારાત્મક ક્ષેત્રમાં છે, અને દેવાની બાજુ પણ, રૂપિયામાં નબળાઈ સેન્ટિમેન્ટ પર અસર કરી રહી છે. પરિણામે, હાલમાં બોન્ડ વિદેશી રોકાણકારો માટે ખાસ આકર્ષક નથી  એમ ખાનગી બેંકના ટ્રેઝરી વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.