Business

વિદેશી રોકાણકારોએ સપ્ટે.માં અત્યાર સુધીમાં રૂ. ૧૩,૧૩૮ કરોડ પાછા ખેંચ્યા

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ: ક્રૂડના વધતા ભાવ અને મજબૂત ડોલરને કારણે વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બરના પ્રથમ 2 અઠવાડિયામાં ભારતીય ઇક્વિટીમાંથી ₹13,138 કરોડ પાછા ખેંચી લીધા છે. વૈશ્વિક પરિસ્થિતિઓ અને યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો રોકાણકારો માટે ચિંતાનો વિષય બન્યો છે. જુલાઈ-ઓગસ્ટમાં ભારે રોકાણ બાદ, હવે વેચવાલી વધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદેશી રોકાણકારોએ સપ્ટે.માં અત્યાર સુધીમાં રૂ. ૧૩,૧૩૮ કરોડ પાછા ખેંચ્યા

ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ડોલર મજબૂત થવાની અસર
અમદાવાદ : ક્રૂડ ઓઇલના વાૃધતા ભાવ અને યુએસ બોન્ડ યીલ્ડમાં વાૃધારાથી ચિંતિત વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બરના પ્રથમ બે અઠવાડિયામાં ભારતીય ઇક્વિટીમાંથી જે. ૧૩,૧૩૮ કરોડ પાછા ખેંચી લીાૃધા છે.
ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલી ફરી વાૃધી છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) એ સપ્ટેમ્બરના પ્રથમ બે અઠવાડિયામાં ભારતીય ઇક્વિટીમાંથી રૂ. ૧૩,૧૩૮ કરોડ પાછા ખેંચી લીાૃધા છે. ૧૧ સપ્ટેમ્બરના ડેટા અનુસાર, આ વેચાણ મુખ્યત્વે સ્થાનિક બજાર કરતાં વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે છે. ક્રૂડ ઓઇલના વાૃધતા ભાવ, યુએસ બોન્ડ યીલ્ડમાં વાૃધારો અને મજબૂત ડોલરે રોકાણકારોને જોખમ લેવાથી રોક્યા છે.
સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારોએ જુલાઈ અને ઓગસ્ટમાં ભારતીય શેરબજારમાં ભારે રોકાણ કર્યું હતું. એફપીઆઈ એ જુલાઈમાં રૂ. ૨૦,૨૦૦ કરોડ અને ઓગસ્ટમાં રૂ. ૨૯,૬૩૦ કરોડનું રોકાણ કર્યું હતું. જોકે, આ પહેલા, માર્ચ અને જૂન વચ્ચે સતત ચાર મહિના સુાૃધી વિદેશી રોકાણકારો ભારતીય ઇક્વિટીમાંથી પૈસા ઉપાડી રહ્યા હતા.
૨૦૨૬માં અત્યાર સુાૃધીમાં ભારતીય ઇક્વિટીમાંથી કુલ વિદેશી રોકાણકારોનો ઉપાડ ૨.૩૭ લાખ કરોડ રૂપિયા સુાૃધી પહોંચી ગયો છે. આ રકમ ૨૦૨૫ના સમગ્ર વર્ષ દરમિયાન ઉપાડવામાં આવેલા ૧.૬૬ લાખ કરોડ રૂપિયા કરતાં વાૃધુ છે.
આગામી સપ્તાહે યુએસ એફઓએમસીની બેઠકમાં બોન્ડ યીલ્ડમાં વાૃધારો અને વ્યાજ દરમાં વાૃધારાની શક્યતાએ પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર ભાર મૂક્યો છે. ભવિષ્યમાં વિદેશી રોકાણકારોના રોકાણ પેટર્ન ઈરાન-યુએસ સંઘર્ષ અને ક્રૂડ ઓઇલના ભાવ પર તેની અસર પર આાૃધાર રાખશે.
વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બરના પહેલા બે અઠવાડિયામાં ડેટ માર્કેટથી પણ નાણાં ઉપાડયા હતા. તેઓએ ફુલ્લી એક્સેસિબલ રૂટ દ્વારા રૂ. ૧,૩૫૦ કરોડ અને સામાન્ય રૂટ દ્વારા રૂ. ૯૫૫ કરોડ પાછા ખેંચ્યા હતા.