Bhavnagar

જેસર તાલુકાના કોબાડિયા ગામે દંપતિને માર મારી ધમકી આપી

By GS Team
27 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગરના જેસર તાલુકાના કોબાડિયા ગામે વાડી વિસ્તારમાં, ગત તા. 24-8 ના રોજ બાઘાભાઈ સરવૈયા અને તેમના પત્ની પર ખોડા અને દેહુર ભંમરે હુમલો કર્યો હતો. ફળિયામાંથી નાળિયેરી કાઢવા અને રસ્તામાં ચાલવાની ના પાડતા, લોખંડના પાઈપ વડે માર મારી ફોન તોડી નાખ્યો હતો. જેસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જેસર તાલુકાના કોબાડિયા ગામે દંપતિને માર મારી ધમકી આપી

જેસર પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ફળિયામાંથી નાળિયેરી કાઢી નાખવા કહી અને રસ્તામાં ચાલવાની ના પાડી માર માર્યો

ભાવનગર -  જેસર તાલુકાના કોબાડિયા ગામે ફળિયામાંથી નાળિયેરી કાઢી નાખવા અને રસ્તામાંથી ચાલવાની ના પાડી બે શખ્સે દંપતિને માર મારી ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ જેસર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જેસર તાલુકાના કોબાડિયા ગામ વાડી વિસ્તારમાં રહેતા બાઘાભાઈ નાનજીભાઈ સરવૈયાએ જેસર પોલીસ મથકમાં ખોડા વામાભાઈ ભંમર અને દેહુર વામાભાઈ ભંમર (બન્ને રહે.કોબાડિયા) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત તા.૨૪-૮ના રોજ તેઓ તેમના માલઢોર ચરાવીને ઘરે આવતા હતા ત્યારે વાડીના કેડામાં ઉક્ત બન્ને લોખંડના પાઈપ લઈને ઉભા રહી તેમને ફળિયામાંથી નાળિયેરી કાઢી નાખવાનું કહી તથા રસ્તામાંથી ચાલવાની ના પાડી હતી. જેમને નાળિયેરી તેમના ફળિયામાં છે અને રસ્તે ચાલવાનો મારો હક્ક છે તેમ કહેતા ઉક્ત બન્નેએ ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઈપ વડે માર મારી ઈજા પહોંચાડી હતી. તેમજ તેમનો ફોન તોડી નાખ્યો હતો. આ દરમિયાન તેમના પત્નિ તેમને બચાવવા માટે વચ્ચે પડતા તેમને પણ પાઈપનો ઘા મારી ઈજા કરી હતી. આ અંગે જેસર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.