Gujarat

અશાંતધારા વિશે જાગૃતિ લાવવા હિન્દુ જાગરણ મંચ દ્વારા મહાઆરતી

By GS Team
10 Dec 20211 min read
This article was originally published on 10 Dec 2021
અશાંતધારા વિશે જાગૃતિ લાવવા હિન્દુ જાગરણ મંચ દ્વારા મહાઆરતી

ભરૂચ: રાજ્ય સરકારના મહેસુલ વિભાગે શહેરના હાથીખાના બજાર, બહાદુર બુરજ,કાછલી પીઠ, કબુતર ખાના, કોઠી રોડ, જાલ્યા મસ્જિદ, સોનેરી મહેલ, દાંડિયા  બજાર, મુસાફિર ખાના વગેરે વગેરે વિસ્તારમાં અંશાતધારો લાગુ કર્યો છે. આ કાયદા મુજબ હિન્દુ તેમની મિલ્કત મુસ્લિમને અને મુસ્લિમ તેની મિલ્કત હિન્દુઓને ન તો વેચી શકે ન તો ટ્રાન્સફર કરી શકે અને ન તો ભાડે આપી શકે. પરંતુ આ કાયદાની અમલવારી થતી નથી. તેના કારણે ભુતકાળમાં મંદિર વેચવાનું છે તેવા બેનરો લાગ્યા હતાં, આ કાયદા અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે હિન્દુ જાગરણ મંચ દ્વારા લલ્લુભાઈ ચકલા સહિત ભરૂચ એ ડીવીઝન, બી ડીવીઝન અને સી ડીવીઝન પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં મહાઆરતી યોજાઈ હતી. આ પ્રંસગે હિન્દુ જાગરણ મંચના અધ્યક્ષ કૃણાલ ચાવડા, મુક્તાનંદ સ્વામી, દીપીકા શાહ, નગર સેવક ગણેશ કાયસ્થ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં,