ગોત્રીના બંધમકાનમાં ત્રાટકેલા ચોરો 7લાખ ઉપરાંતની મતા ચોરી ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બંધ મકાનોને ચોરો નિશાન બનાવી રહ્યા હોવાના બનાવો બની રહ્યા છે.બે દિવસ પહેલાં જ પોલીસે એક આંતરરાજ્ય ચોરને ઝડપી પાડી 31 તોલાના દાગીના કબજે કર્યા હતા અને પોલીસ દ્વારા નામચીન ચોરોની વિગતો પણ મેેળવવામાં આવી રહી છે.આમ છતાં ચોરીનાે સિલસિલો ચાલુ જ રહ્યો છે.
ગોત્રી ઇસ્કોન મંદિર સામે આવેલા વીબી નગરમાં બનેલા આવા જ એક બનાવમાં પરિવારે રુ.સાત લાખ થી વધુની મતા ગુમાવી છે.નિવૃત્ત જીવન ગાળતા રામનરેશ યાદવે પોલીસને કહ્યું છે કે તા.૩૦મી જુલાઇએ સવારે હું પરિવાર સાથે રાજસ્થાન ગયો હતો ત્યારે બીજા દિવસે પાડોશમાં રહેતા બહેને ફોન કરીને નકૂચો તૂટયો હોવાની જાણ કરી હતી. વડોદરા આવી તપાસ કરતાં ચોરો ત્રણ તોલાના દાગીના અને રોકડા રૃ.૫.૩૦ લાખ મળી રૃ.સાત લાખ ઉપરાંતની મતા ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી અકોટા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




