Baroda

વડોદરાના માંજલપુરમાં આબેહૂબ પૂરી જેવું જ જગન્નાથજીનું એકમાત્ર મંદિર,બાળકો રથ ખેંચે છે

By GS Team
15 Jul 20261 min read
TukuTouch Logo
આવતીકાલે અષાઢી બીજે વડોદરાના માંજલપુર સ્થિત એકમાત્ર જગન્નાથ મંદિરે બાળકો ૨૦ ફૂટનો રથ ખેંચશે. પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ અને દેવિયાની રાજે ગાયકવાડે ૧૯૯૦ના દાયકામાં ઓડિશા જેવી પ્રતિકૃતિનું મંદિર બનાવ્યું. લીમડાના લાકડામાંથી બનેલી ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીની પ્રતિમાઓનું સ્થાપન થયું છે. પૂજાવિધિ ઓડિશાના પંડિત દ્વારા ત્યાંની પ્રથા મુજબ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના માંજલપુરમાં આબેહૂબ પૂરી જેવું જ જગન્નાથજીનું એકમાત્ર મંદિર,બાળકો રથ ખેંચે છે

આવતીકાલે અષાઢી બીજે દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ નીકળનાર છે ત્યારે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા એક માત્ર જગન્નાથ મંદિરમાં પણ બાળકો દ્વારા ૨૦ ફૂટનો રથ ખેંચવામાં આવે છે.
માંજલપુરના ધૈર્ય પ્રસાદ પેલેસમાં રહેતા પ્રિન્સ અશોકરાજે ગાયક વાડ અને દેવિયાની રાજે ગાયકવાડને ભગવાન જગન્નાથજીમાં આસ્થા હોવાને કારણે ૧૯૯૦ના દાયકામાં ઓડિશા જેવી જ પ્રતિકૃતિવાળું મંદિર બનાવવાનો નિર્ણય કર્યો હતો.
ત્યારબાદ ઓડિશાની સ્થાપત્ય શૈલી વાળું મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું.જેમાં લીમડાના લાકડામાંથી પુરીના મંદિર જેવી જ ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીની પ્રતિમાઓનું વિધિવત સ્થાપન કરવામાં આવ્યું હતું.મંદિરમાં પૂંજાવિધિ પણ ઓડિશાના પંડિત દ્વારા કરવામાં આવે છે અને પ્રસાદી તેમજ અન્ય પ્રસંગો પણ ત્યાંની પ્રથા મુજબ મનાવાય છે.