ભાડા પટ્ટે વર્ષોથી રાખ્યા બાદ ખંડેરાવ માર્કેટમાં ભાડુ નહી ભરતી દુકાનોને સીલ કરાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરના ખંડેરાવ માર્કેટમાં આવેલી દુકાનો દ્વારા છેલ્લા છ વર્ષથી ભાડાઓ નહી ભરાતા દુકાનો સીલ કરવામાં આવી છે જ્યારે કેટલીક દુકાનોને નોટિસો અપાઇ છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખંડેરાવ માર્કેટમાં બનાવાયેલી દુકાનો ભાડાપટ્ટે આપવામાં આવી છે. જો કે અનેક વેપારીઓ દ્વારા સમયસર ભાડુ ભરપાઇ કરવામાં આવતું નહી હોવાથી કોર્પોરેશનને પણ આર્થિક નુકસાન થતું હોય છે. લાંબા સમય સુધી ભાડુ કોર્પોરેશનની તિજોરીમાં જમા નહી કરાવનાર આવા વેપારીઓ સામે કોર્પોરેશન દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.
ખંડેરાવ માર્કેટના માળી વિભાગની બે તેમજ મરચા વિભાગની એક દુકાનને છેલ્લા છ વર્ષથી ભાડુ નહી ભરવા બદલ સીલ કરી દેવામાં આવી છે અને શટર પર નોટિસ લગાવી દેવાઇ છે. આ ઉપરાંત તંબોલી વિભાગ, કટલરી વિભાગ, માળી વિભાગ, મરચા વિભાગ અને સિધ્ધનાથરોડ પાસેની કોર્પોરેશનની માલિકીની ૧૫ દુકાનોને નોટિસ આપી વહેલી તકે ભાડુ ભરપાઇ કરવા જણાવાયું છે.









