આજે જૂનીગઢીના ગણેશજીની વિસર્જન યાત્રા ઃ ચુસ્ત બંદોબસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જૂનીગઢી વિસ્તારના ગણપતિજીની વિસર્જન યાત્રા દરમિયાન શાંતિ જળવાઇ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સીસીટીવી કંટ્રોલ રૃમમાંથી સતત નજર રાખવામાં આવશે.
શહેરના અતિ સંવેદનશીલ એવા પાણીગેટ જૂનીગઢી વિસ્તારના ગણેશજીને સ્થાપનાના ૭ મા દિવસે વિદાય આપવામાં આવે છે. આવતીકાલે વિસર્જનના પગલે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરા પોલીસ જવાનોને આપવામાં આવશે. તદુપરાંત ડીપ પોઇન્ટ, ધાબા પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા આજે બંદોબસ્તનું નીરિક્ષણ કરી રિહર્સલ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું છે કે, સીઆરપીએફની ૪, સીઆઇએસએફની ૧, બીએસએફની ૨, આરએએફની ૨ અને એસઆરપીની પ કંપની બંદોબસ્ત માટે તૈનાત રહેશે.
સમગ્ર બંદોબસ્તની આગેવાની જોઇન્ટ પોલીસ કમિશનરને સોંપાઇ છે. તદુપરાંત ૬ ડીસીપી, ૧૨ થી વધુ એસીપી, ૧૦૦ થી વધુ પી.આઇ., પી.એસ.આઇ. તથા તમામ બ્રાંચ અને પોલીસ સ્ટેશનના સ્ટાફ અને હોમગાર્ડ જવાનોની પણ મદદ લેવામાં આવી છે.




