વાસ્તુ શાસ્ત્ર: ઘરના મુખ્ય દ્વારે કઈ દિશામાં અને કઈ ધાતુની નેમપ્લેટ લગાવવી? જાણો સાચા નિયમો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vastu Tips For House: વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરનો મુખ્ય દ્વાર ઊર્જાના સંતુલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણામાંથી મોટા ભાગના લોકો મુખ્ય દ્વાર પર નેમપ્લેટ લગાવે છે. કોઈ લાકડાની આકર્ષક નેમપ્લેટ લગાવવાનું પસંદ કરે છે, તો કોઈ ધાતુ કે પથ્થરની નેમપ્લેટ પસંદ કરે છે.
વાસ્તુ શાસ્ત્રમાં નેમપ્લેટ માત્ર ઘરની ઓળખ જાહેર કરતી વસ્તુ નથી, પરંતુ તે ઘરની ઊર્જા પર પણ અસર દેખાડે છે. એવામાં નેમપ્લેટ પસંદ કરતી વખતે વાસ્તુના કેટલાક જરૂરી નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ કઈ ધાતુની નેમપ્લેટ ઘરના મુખ્ય દ્વાર પર લગાવવી શુભ માનવામાં આવે છે અને તેને કઈ દિશામાં લગાવવી યોગ્ય રહેશે?
લાકડાની નેમપ્લેટ
વાસ્તુ શાસ્ત્રમાં લાકડાને વિકાસ સ્થિરતા અને સમૃદ્ધિ સાથે જોડીને જોવામાં આવે છે. તેથી લાકડામાંથી બનેલી નેમપ્લેટ ઘર માટે શુભ માનવામાં આવે છે. તમે લાકડાની નેમપ્લેટ બનાવડાવવા માટે સાગ, શીશમ, મહોગની અને આંબો જેવા લાકડાની પસંદગી કરી શકો છો. તો બીજી તરફ પ્લાયબોર્ડ, એમડીએફ કે પ્લાસ્ટિકમાંથી બનેલી નેમપ્લેટ લગાવવાનું ટાળવું જોઈએ.
લાકડામાંથી બનેલી નેમપ્લેટને મુખ્ય દ્વાર પર પૂર્વ અને દક્ષિણ દિશામાં લગાવવી શુભ માનવામાં આવી છે.
મેટલ (ધાતુ) માંથી બનેલી નેમપ્લેટ
ધાતુમાંથી બનેલી નેમપ્લેટને વાસ્તુ શાસ્ત્રમાં ધન અને નવી તકો સાથે જોડીને જોવામાં આવે છે. પીતળ, તાંબું, સ્ટીલ અને લોખંડ જેવી ધાતુઓમાંથી બનેલી સુંદર નેમપ્લેટ ઘર માટે ખૂબ શુભ માનવામાં આવે છે.
ધાતુની નેમપ્લેટ માટે ઉત્તર અને પશ્ચિમ દિશા સૌથી શુભ માનવામાં આવે છે. વાસ્તુના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઉત્તર દિશાને કુબેરની દિશા કહેવામાં આવે છે. એવામાં આ દિશામાં ધાતુની નેમપ્લેટ લગાવવાથી ધન-સમૃદ્ધિ આકર્ષિત થાય છે.
પથ્થરમાંથી બનેલી નેમપ્લેટ
વાસ્તુશાસ્ત્રમાં પથ્થરને પૃથ્વી તત્ત્વ સાથે જોડાયેલો માનવામાં આવ્યો છે. તે સ્થિરતા અને મજબૂતીનું પ્રતીક માનવામાં આવે છે. ઘરના મુખ્ય દ્વાર પર આરસપહાણ (માર્બલ), ગ્રેનાઈટ અને બીજા કુદરતી પથ્થરોથી બનેલી નેમપ્લેટ લગાવવી શુભ માનવામાં આવે છે. વાસ્તુ સિદ્ધાંતોમાં તેને નકારાત્મક ઊર્જાઓને ઓછી કરવાવાળી બતાવવામાં આવી છે.
ઘરમાં પથ્થરની નેમપ્લેટ માટે દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશા સૌથી શુભ માનવામાં આવે છે. દક્ષિણ-પશ્ચિમ દિશાને સ્થિરતા સાથે જોડવામાં આવે છે.




