Astro

શિવલિંગ પર ચઢાવેલું જળ પીવું જોઈએ કે નહીં? જાણો શિવપુરાણના નિયમો

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ ચઢાવવાની પરંપરા છે. શિવપુરાણ મુજબ, આ જળ પીવું શુભ મનાય છે. ભક્તો શ્રદ્ધાપૂર્વક તેને ચરણામૃત સમાન ગ્રહણ કરી શકે છે, જેનાથી સકારાત્મક ઊર્જા મળે છે અને માનસિક શાંતિ અનુભવાય છે. જોકે, જળ સ્વચ્છ હોવું જોઈએ અને તેને ધીમે ધીમે 3 વાર પીવું જોઈએ. જળ પીતી વખતે તે જમીન પર ન પડે તેનું ધ્યાન રાખવું. આ નિયમોનું પાલન કરવાથી શુભ ફળ મળે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શિવલિંગ પર ચઢાવેલું જળ પીવું જોઈએ કે નહીં? જાણો શિવપુરાણના નિયમો

Shiv Puran Rules: શ્રાવણ મહિનો હોય કે કોઈ પણ શુભ દિવસ, ભગવાન શિવની પૂજામાં શિવલિંગ પર જળ ચઢાવવાની પરંપરા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, શિવલિંગ પર જળ અર્પણ કરવાથી ભગવાન શિવ સરળતાથી પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. પરંતુ પૂજા બાદ ઘણા લોકોના મનમાં એક સવાલ ચોક્કસ ઉઠે છે કે, શું શિવલિંગ પર ચઢાવેલું જળ પીવું જોઈએ કે નહીં? આ અંગે અલગ-અલગ માન્યતાઓ સાંભળવા મળે છે. આવો જાણીએ કે શિવપુરાણમાં આ વિશે શું કહેવામાં આવ્યું છે અને આ જળ ગ્રહણ કરવાના કયા નિયમો બતાવવામાં આવ્યા છે.

શિવલિંગ પર ચઢાવેલું જળ પીવું શુભ માનવામાં આવે છે

ધાર્મિક માન્યતા પ્રમાણે શિવપુરાણના એક પ્રસંગમાં શિવલિંગ પર અર્પણ કરેલા જળને પવિત્ર માનવામાં આવ્યું છે. તેને ચરણામૃત સમાન શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરી શકાય છે. એવી માન્યતા છે કે આ જળનું સેવન કરવાથી વ્યક્તિને પોઝિટિવ એનર્જી મળે છે. મનને શાંતિ મળે છે અને માનસિક તણાવ ઓછો થાય છે. ઘણા લોકો એવું પણ માને છે કે, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ જળ ગ્રહણ કરવાથી રોગોથી રક્ષણ મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

આ જળનું સેવન કઈ રીતે કરવું?

શિવલિંગ પર ચઢાવેલા જળને ચરણામૃતની જેમ થોડી-થોડી માત્રામાં ગ્રહણ કરવાની પરંપરા છે. એવી માન્યતા છે કે, તેને ત્રણ વાર થોડું-થોડું પીવું શુભ હોય છે. જો કે, આ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે જળ સંપૂર્ણપણે સ્વચ્છ હોય અને પૂજાની પરંપરા પ્રમાણે ગ્રહણ કરવા યોગ્ય હોય. આ સિવાય મંદિરોમાં સ્થાનિક નિયમોનું પાલન કરવું પણ અનિવાર્ય હોય છે.

જળ ગ્રહણ કરતી વખતે આ સાવધાની રાખો

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે શિવલિંગ પર ચઢાવેલું જળ ગ્રહણ કરતી વખતે કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જળ પીતી વખતે તે જમીન પર કે કોઈના પગ પર ન પડવું જોઈએ. આ સાથે જ જળ ગ્રહણ કરતી વખતે શિવલિંગને સ્પર્શ કરવાથી પણ બચવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ નિયમોનું પાલન કરવાથી પૂજાનું શુભ ફળ પ્રાપ્ત થાય છે.