Astro

Sawan Shivratri 2026: શ્રાવણ શિવરાત્રિ 11 ઑગસ્ટે ઉજવાશે, જાણો પૂજાનો શુભ સમય અને વિધિ

By GS Team
24 Jul 20262 mins read
TukuTouch Logo
શ્રાવણ શિવરાત્રિ 2026: ભગવાન શિવના ભક્તો માટે પવિત્ર ગણાતી શ્રાવણ શિવરાત્રિ આ વર્ષે 11 ઑગસ્ટ, 2026ના રોજ ઉજવાશે. આ દિવસે દેશભરના શિવ મંદિરોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ભક્તો શિવલિંગ પર જળ, દૂધ, બેલપત્ર અર્પણ કરીને જળાભિષેક કરશે અને ઉપવાસ રાખી ભગવાન શિવની વિશેષ આરાધના કરશે. આ દિવસે ચાર પ્રહરની પૂજાનું વિશેષ મહત્ત્વ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Sawan Shivratri 2026: શ્રાવણ શિવરાત્રિ 11 ઑગસ્ટે ઉજવાશે, જાણો પૂજાનો શુભ સમય અને વિધિ

Sawan Shivratri 2026 : ભગવાન શિવના ભક્તો માટે સૌથી પવિત્ર માનાતી Sawan Shivratri આ વર્ષે 11 ઑગસ્ટ, 2026ના રોજ ઉજવાશે. દર વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવતી આ શિવરાત્રિનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. દ્રિક પંચાંગ મુજબ, આ વખતે ચતુર્દશી તિથિ 11 ઑગસ્ટે સવારે 4:54 વાગ્યે શરૂ થશે અને 12 ઑગસ્ટે રાત્રે 1:52 વાગ્યે પૂર્ણ થશે.

ધાર્મિક માન્યતા અનુસાર, શિવરાત્રિએ રાત્રિના ચારેય પ્રહરમાં ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ચારેય પ્રહરની પૂજાનો સમય માત્ર 11 ઑગસ્ટે જ મળતો હોવાથી આ વર્ષે શ્રાવણ શિવરાત્રિ 11 ઑગસ્ટે જ ઉજવવી યોગ્ય માનવામાં આવી રહી છે.

આ દિવસે દેશભરના શિવ મંદિરોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. મોટી સંખ્યામાં ભક્તો શિવલિંગ પર જળ, ગંગાજળ, દૂધ, દહીં, મધ, બેલપત્ર, ધતૂરો અને ભાંગ અર્પણ કરીને જળાભિષેક કરશે. અનેક ભક્તો ઉપવાસ રાખીને ભગવાન શિવની વિશેષ આરાધના પણ કરશે.

ચાર પ્રહરની પૂજાનો સમય

પ્રથમ પ્રહર: સાંજે 7:04થી રાત્રે 9:45
બીજો પ્રહર: રાત્રે 9:45થી 12:26
ત્રીજો પ્રહર: રાત્રે 12:26થી સવારે 3:07
ચોથો પ્રહર: સવારે 3:07થી 5:49

શ્રાવણ શિવરાત્રિના દિવસે વહેલી સવારે સ્નાન કરીને વ્રત અને પૂજાનો સંકલ્પ લેવો શુભ માનવામાં આવે છે. ઘર અથવા મંદિરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કર્યા બાદ શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. ત્યારબાદ રુદ્રાભિષેક, મહામૃત્યુંજય મંત્રનો જાપ અથવા શિવ ચાલીસાનું પાઠ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે.

આ વર્ષે શ્રાવણ મહિનાના ચાર સોમવાર અનુક્રમે 3, 10, 17 અને 24 ઑગસ્ટે આવશે. શ્રાવણ માસ દરમ્યાન ભગવાન શિવની ઉપાસના અને દાન-પુણ્ય કરવાથી મનોકામના પૂર્ણ થાય છે એવી ધાર્મિક માન્યતા છે.