Ahmedabad

અમદાવાદના વિંઝોલ રેલવે ક્રોસિંગના બદહાલ રસ્તાથી વાહનચાલકો પરેશાન, તાત્કાલિક રોડ રિપેરની માંગ

By GS Team
17 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદના વિંઝોલ રેલવે ક્રોસિંગ પાસેનો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન છે. વટવા રેલવે સ્ટેશન અને યાર્ડ વચ્ચેના આ રોડ પર ઠેર-ઠેર ખાડા પડ્યા છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ માર્ગ જોખમી બન્યો છે, જેના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તાત્કાલિક રોડ રીપેર કરવા અને ખાડા પૂરવા માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના વિંઝોલ રેલવે ક્રોસિંગના બદહાલ રસ્તાથી વાહનચાલકો પરેશાન, તાત્કાલિક રોડ રિપેરની માંગ

Ahmedabad Vinzol News : વટવા રેલવે સ્ટેશન અને વટવા રેલવે યાર્ડ વચ્ચે આવેલા વિંઝોલ રેલવે ક્રોસિંગની બંને તરફનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રોડ પર ઠેર-ઠેર મોટા ખાડા અને બદતર હાલત હોવાથી વાહનચાલકો માટે અવરજવર મુશ્કેલ બની છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ માર્ગ જોખમી બન્યો છે. ખાડાઓના કારણે અકસ્માતની શક્યતા પણ સતત રહે છે.

image.png

સ્થાનિકોની રોડ રીપેરિંગની માગ

સ્થાનિક લોકોનું કહેવું છે કે આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે, તેમ છતાં લાંબા સમયથી રસ્તાની યોગ્ય મરામત કરવામાં આવી નથી. જનતાના કરવેરાના નાણાંથી શહેરમાં વિકાસના કામો કરવામાં આવે છે,ત્યારે આવી જાહેર સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવું જરૂરી છે.

image.png

સ્થાનિકો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત વિભાગને વિંઝોલ રેલવે ક્રોસિંગની બંને તરફની સડકનું તાત્કાલિક નિરીક્ષણ કરાવી ખાડાઓ પૂરવા તેમજ જરૂરી રોડવર્ક કરાવવા માંગ કરવામાં આવી છે.

હવે તંત્ર દ્વારા આ ગંભીર જનસમસ્યાને કેટલી ઝડપથી ઉકેલવામાં આવે છે, તેના પર સૌની નજર છે. આ માત્ર રસ્તાની સમસ્યા નથી, પરંતુ હજારો લોકોની સુરક્ષા અને રોડ સલામતીનો સવાલ છે.