Ahmedabad

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાની ફરિયાદ કરવા માટે હવેથી 112 ડાયલ કરો

By GS Team
1 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા માટે હવે ૧ ઓગસ્ટથી નવો ૧૧૨ ઇમરજન્સી નંબર કાર્યરત થશે. ગુજરાત પોલીસે નાગરિકોની સુવિધા માટે આ નિર્ણય લીધો છે. અગાઉનો લાંબો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૧૧૨૨ યાદ રાખવામાં મુશ્કેલ હતો. હવે મેડિકલ અને પોલીસ ઇમરજન્સી ઉપરાંત, ટ્રાફિકની ફરિયાદ પણ આ ટૂંકા નંબર પર કરી શકાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાની ફરિયાદ કરવા માટે હવેથી 112 ડાયલ કરો

Ahmedabad Traffic News : અમદાવાદમાં અગાઉ ટ્રાફિકની સમસ્યાની ફરિયાદ કરવા માટે ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ, હવે ટ્રાફિકની ફરિયાદ કરવા માટે ટોલ ફ્રી નંબરના બદલે 112 નંબર ડાયલ કરવાનો રહેશે. આ નવી સિસ્ટમ 1લી ઓગસ્ટથી કાર્યરત થશે.

ગુજરાતમાં ટ્રાફિકની સમસ્યાની ફરિયાદ કરવા માટે ટોલ ફ્રી 18002331122 નો ઉપયોગ કરવાનો રહેતો હતો. પરંતુ, ટોલફ્રી સિસ્ટમનો નંબર લાંબો હોવાની સાથે યાદ રાખવામાં મુશ્કેલી પડતી હતી. જેથી ગુજરાત પોલીસે આ બાબતને ગંભીરતાથી લઇને ટ્રાફિક સમસ્યાની ફરિયાદ કરવા માટે 112 ઇમરજન્સી નંબર શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં ટોલ ફ્રી નંબર હવે 112 સાથે સંકલિત થઇ જશે.

ઉલ્લેખનીય છે કે 112 ઇમરજન્સી નંબર શરૂ થતા આ નંબર પર મેડીકલ ઇમરજન્સી, પોલીસ કંટ્રોલ રૂમ સાથે સંકલિત કરાયો હતો. હવે 112 નંબરનોે ઉપયોગ ટ્રાફિકની સમસ્યા નોંધાવવા માટે પણ થઇ શકશે.