BIG NEWS
જામનગરમાં વડાપ્રધાન મોદીના પ્રવાસના કારણે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન એક દિવસ પાછળ ઠેલાયું
By: gujaratsamachar.com | Updated at: 27 Apr 2024 10:14 AM (IST)
April 27, 2024 | 10:13 AM
ઉદ્ધવ ઠાકરે પહેલીવાર કોંગ્રેસને મત આપશે, મતદાન પહેલા કરી દીધું મોટું એલાન
એવું પહેલીવાર બનશે કે જ્યારે ઠાકરે પરિવાર કોંગ્રેસને મત આપશે. જોકે, મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠકથી શિવસેના (UTB) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ ઉમેદવાર વર્ષા ગાયકવાડને સમર્થન આપવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, તેઓ વર્ષા ગાયકવાડને મત આપશે. વર્ષા ગાયકવાડ ઠાકરેને મળવા માટે માતોશ્રી પહોંચ્યા હતા, જ્યાં ઉદ્ધવ ઠાકરેએ તેમને આશીર્વાદ પણ આપ્યા.
Read ArticleApril 27, 2024 | 10:02 AM
CM મમતા બેનર્જી થયા ઈજાગ્રસ્ત: હેલિકોપ્ટર પર ચઢતા સમયે સંતુલન બગડતા લપસી પડ્યા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ફરી એકવાર ઘાયલ થયા છે. દુર્ગાપુરમાં હેલિકોપ્ટરમાં ચઢતી વખતે તેમને ઈજા પહોંચી છે. તેઓ દુર્ગાપુરથી આસનસોલ જઈ રહ્યા હતા.ત્યા તૃણમૂલ ઉમેદવાર શત્રુઘ્ન સિંહાના સમર્થનમાં એક રેલીને સંબોધવાના હતા. મમતા બેનરજી જ્યારે હેલિકોપ્ટરમાં ચઢી રહ્યા હતા, ત્યારે તેમણે પોતાનું સંતુલન બગડતા લપસી પડ્યા હતા. તેમને પગમાં થોડી ઈજા થઈ છે.
Read ArticleApril 27, 2024 | 10:02 AM
બિહારની સૌથી ચર્ચિત બેઠક પરથી 'લાલુ યાદવે' ઝંપલાવ્યું, રોહિણી આચાર્ય સામે ઉમેદવારી નોંધાવી
લોકસભા 2024ના પ્રથમ તબક્કા (Phase-1)નું મતદાન 19મી એપ્રિલે અને બીજા તબક્કા (Phase-2)નું મતદાન 26 એપ્રિલ (શુક્રવારે) થયું હતું. ત્યારે હવે રાજકીય પક્ષો ત્રીજા તબક્કાના મતદાને લઈને તૈયારીમાં લાગી ગયા છે. બિહાર (Bihar)મા રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ સારણથી બેઠક પરથી રોહિણી આચાર્ય (Rohini Acharya)ને ટિકિટ આપી છે ત્યારે હવે લાલુ યાદવે રોહિણી આચાર્ય સામે ઝંપલાવ્યું છે અને ઉમેદવારી નોંધાવી છે.
Read ArticleApril 27, 2024 | 10:01 AM
'કોગ્રેસને મુસ્લિમ મત જોઈએ પણ ઉમેદવાર નહીં..' પક્ષથી નારાજ પદાધિકારીએ 'હાથ'નો સાથ છોડ્યો
લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ન મળતા મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાની નારાજગી સામે આવી છે. મહારાષ્ટ્રમાં કોઈપણ મુસ્લિમ નેતાને ટિકિટ ન આપવા પર મોહમ્મદ આરિફ નસીમ ખાને નારાજગી વ્યક્ત કરીને કોંગ્રેસની પ્રચાર સમિતિમાંથી રાજીનામું આપ્યું. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને કહ્યું કે, 'હું લોકસભા ચૂંટણી માટે પ્રચાર નહીં કરું કારણ કે વિપક્ષ મહા વિકાસ અઘાડી (MVA) જૂથે કોઈ મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા નથી.'
Read ArticleApril 27, 2024 | 10:01 AM
જામનગરમાં વડાપ્રધાન મોદીના પ્રવાસના કારણે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન એક દિવસ પાછળ ઠેલાયું
રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ-2 ના નેજા હેઠળ જુદા જુદા આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કરાયા છે. જે આંદોલનાત્મક કાર્યક્રમોના ભાગરૂપે આગામી તારીખ 2જી મે ના દિવસે જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવા માટેની જાહેરાત કરવામાં આવી હતી.
Read Article