BIG NEWS
'કોળી સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી..' વિવાદ વચ્ચે ભાજપના મંત્રી કનુ દેસાઈનું મોટું નિવેદન
By: gujaratsamachar.com | Updated at: 6 May 2024 3:04 AM (IST)
May 6, 2024 | 36 minutes ago
ગુજરાતમાં અહીં ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા ક્ષત્રિયોએ બનાવ્યો પ્લાન, 3500 કાર્યકરો કર્યા તૈયાર
ક્ષત્રિય સમાજની નારી અસ્મિતા લડાઈને લઈને આગામી સાત મેના ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શ્રી રાજપુત ગુજરાત કરણી સેનાએ નિર્ણય કર્યો છે. કચ્છ મોરબીની શીટ પર 3500 રાજપુત ક્ષત્રિય સમાજના યુવાનો કાર્યરત રહીને મતદાન કરાવશે. ઉલ્લેખનીય છે કે પરશોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને પગલે ક્ષત્રિય સમાજના લોકો ઘણાં લાંબા સમયથી ભાજપ અને રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે.
Read ArticleMay 6, 2024 | 37 minutes ago
'કોળી સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી..' વિવાદ વચ્ચે ભાજપના મંત્રી કનુ દેસાઈનું મોટું નિવેદન
ગુજરાતની 25 લોકસભા બેઠક પર ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે એટલે કે 7 મેના રોજ યોજાશે. ત્યારે ભાજપ સામે વિરોધનો વંટોળ થંભવાનું નામ લેતો નથી. રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી રહ્યો જ હતો ત્યાં હવે ગુજરાત સરકારના મંત્રી કનુ દેસાઈની વિવાદિત ટિપ્પણી બાદ કોળી સમાજમાં આક્રોશ ભડક્યો હતો. જેને લઈને છેવટે કનુભાઈ દેસાઈએ માફી માગવી પડી હતી.
Read ArticleMay 5, 2024 | 4:35 PM
ભાજપે ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, 5 વર્ષમાં 3.5 લાખ નોકરીઓનો વાયદો
May 5, 2024 | 3:20 PM
VIDEO: પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM મોદી પહેલીવાર અયોધ્યા પહોંચ્યા, રામલલાના કર્યા દર્શન
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચ્યા. અહીં વડાપ્રધાન મોદીએ રામલાના દર્શન કર્યા. બાદમાં તેમણે રોડ શો યોજ્યો. મુખ્યમંત્રી યોગી પણ સાથે ઉપસ્થિત રહ્યા.
Read ArticleMay 5, 2024 | 1:36 PM
ગુજરાતની 25 સહિતની 93 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત
આગામી 7મી મે 2024ના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. જેનો પ્રચાર પડઘમ આજે શાંત પડી ચૂક્યો છે. ગુજરાતની 25 સહિત કુલ 93 બેઠક પર પ્રચાર પડઘમ શાંત થયા છે. હવે આ બેઠકો પર લોકસભા ઉમેદવારો પ્રચાર નહીં કરી શકે.
Read Article