For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભમરિયા મધની માખીઓએ ખાનગી કંપનીના પાંચ કર્મચારીઓને ડંખ માર્યા

Updated: Mar 15th, 2023

Article Content Image

- લખતરમાં ભમરિયું મધ ઉડવાનો ત્રીજો બનાવ

- મધમાખીના ડંખથી ઘાયલ પાંચેય કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા

સુરેન્દ્રનગર : લખતરમાં ભમરિયું મધ ઉડવાનો ત્રીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે. લખતર- વિરમગામ રોડ પર આવેલી ખાનગી કંપનીમાં ભમરિયું મધ ઉડતાં પાંચ કર્મચારીઓને દંશ મારી ઘાયલ કર્યા હતા.

લખતર પંથકમાં ભમરીયું મધ ઉડવાના બનાવો વધી રહ્યા છે. અગાઉ  કડુ પાસે તેમજ લખતર - આદલસર પાસે ભમરીયું મધ ઉડવાનાં બનાવો બન્યા હતા ત્યારે ગઈકાલે લખતર-વિરમગામ રોડ ઉપર આવેલ એલ્કેજીન નામની ખાનગી કંપનીમાં ભમરીયુ મધ ઉડતા પાંચ કર્મચારીઓ મધમાખીનાં દંશથી ઘાયલ થયા હતા.પોતાની શીફ્ટ પુરી કરીને પરત ફરી રહેલા પ્રેમલભાઈ, કમલેશભાઈ, નારાયણ રાવ, રાકેશભાઈ એલ.અને વિજયભાઈ મંડલ નામનાં પાંચ કર્મચારી ઉપર મધમાખીનાં ઝુંડે હુમલો કર્યો હતો. જેમાં પાંચેય કર્મચારીને રીએક્શન આવતા તાબડતોબ સરકારી હોસ્પીટલે સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં તબીબોએ સારવાર આપી હતી.

Gujarat