Sports

રોહિત શર્મા પછી કોણ ! ટીમ ઈન્ડિયાના આ 6 સીનિયર ખેલાડીઓ રિટાયરમેન્ટની કગાર પર

By GS Team
17 Jul 20263 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટમાં મોટા ફેરફારોના સંકેત મળ્યા છે, જ્યાં 6 સિનિયર ખેલાડીઓ નિવૃત્તિની નજીક છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સિલેક્ટર્સે કેપ્ટન રોહિત શર્માને 2027ના વનડે વર્લ્ડ કપના પ્લાનિંગમાંથી બાકાત રાખ્યા છે. વિરાટ કોહલી, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, રવિન્દ્ર જાડેજા અને ઈશાંત શર્મા પણ ટૂંક સમયમાં ક્રિકેટને અલવિદા કહી શકે છે. બોર્ડ હવે યુવા ખેલાડીઓને તક આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રોહિત શર્મા પછી કોણ ! ટીમ ઈન્ડિયાના આ 6 સીનિયર ખેલાડીઓ રિટાયરમેન્ટની કગાર પર

6 Team India Seniors On The Brink Of Retirement : ભારતીય ક્રિકેટમાં હાલમાં મોટા ફેરફારોના સંકેત મળી રહ્યા છે, જેના કારણે ક્રિકેટ ચાહકો ખૂબ જ ચિંતિત અને નિરાશ જોવા મળી રહ્યા છે. મીડિયા અહેવાલો મુજબ, સેલેક્ટર્સે સ્પષ્ટ કરી દીધું છે કે કેપ્ટન રોહિત શર્મા હવે 2027 ના વનડે વર્લ્ડ કપના પ્લાનિંગમાં સામેલ નથી, જેનાથી ચાહકોને મોટો આંચકો લાગ્યો છે.

રોહિત શર્મા: વનડે કરિયર પર લાગી શકે છે બ્રેક

Rohit Sharma.JPG

ટી20 માંથી નિવૃત્તિ લીધા બાદ હવે હિટમેન રોહિત શર્મા (Rohit Sharma)ના વનડે કરિયરનો પણ ટૂંક સમયમાં અંત આવી શકે છે. ચર્ચા છે કે લોર્ડ્સમાં રમાનારો વનડે મેચ તેમના આંતરરાષ્ટ્રીય કરિયરનો છેલ્લો મેચ સાબિત થઈ શકે છે, કારણ કે બોર્ડ હવે ભવિષ્યની ટીમ તૈયાર કરવા તરફ આગળ વધી ગયું છે.

વિરાટ કોહલી: આગામી વર્ષે સંપૂર્ણ વિદાયના સંકેત

Virat Kohli.JPG

રોહિત શર્માની જેમ જ વિરાટ કોહલી (Virat Kohli) પણ ટેસ્ટ અને ટી20 ફોર્મેટથી અંતર જાળવી ચૂક્યા છે. કિંગ કોહલી ભલે અત્યારે રન બનાવી રહ્યા હોય, પણ તેઓ પોતાના કરિયરના અંતિમ તબક્કામાં છે. બીસીસીઆઈ વનડેમાં પણ યુવા બેટ્સમેનોને તક આપવાની નીતિ પર કામ કરી રહી હોવાથી, તેઓ પણ આગામી વર્ષ સુધીમાં ક્રિકેટને સંપૂર્ણપણે અલવિદા કહી શકે છે.

મોહમ્મદ શમી: ઈજા અને સ્પર્ધા વચ્ચે વાપસી મુશ્કેલ

Mohammed Shami.jpg

ભારતીય ફાસ્ટ બોલિંગના મુખ્ય આધાર ગણાતા મોહમ્મદ શમી (Mohammed Shami) છેલ્લા કેટલાક સમયથી ઈજાઓથી પરેશાન છે. ટીમ ઈન્ડિયા પાસે હાલમાં ઉભરતા યુવા ફાસ્ટ બોલરોની લાંબી લાઈન છે. આ કડાકાની સ્પર્ધા અને યુવાઓને મળતી તકોને જોતા આ સીનિયર બોલર માટે વાપસી મુશ્કેલ છે, જેથી તેઓ ટૂંક સમયમાં સંન્યાસનો નિર્ણય લઈ શકે છે.

ભુવનેશ્વર કુમાર: સેલેક્ટર્સની નજરમાંથી થયા બહાર

Bhuvneshwar Kumar.JPG

સ્વીંગના સુલતાન તરીકે જાણીતા ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) પણ લાંબા સમયથી રાષ્ટ્રીય ટીમની બહાર ચાલી રહ્યા છે. સેલેક્ટર્સ હવે અર્શદીપ સિંહ અને મયંક યાદવ જેવા યુવા બોલરો પર વધુ ભરોસો મૂકી રહ્યા છે. પોતાની ઘટતી સ્પીડ અને ટીમમાં વાપસીના બંધ થતા દરવાજા જોઈને ભુવી પણ ટૂંક સમયમાં નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

રવિન્દ્ર જાડેજા: અક્ષર પટેલના ઉદયથી કરિયર સંકટમાં

Ravindra Jadeja.JPG

દુનિયાના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર્સમાં સામેલ રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ 2024 નો ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો હતો. ટીમ મેનેજમેન્ટ હવે વનડે ફોર્મેટમાં અક્ષર પટેલને કાયમી ઓલરાઉન્ડર તરીકે સેટ કરવાના મૂડમાં છે, જેથી આ દિગ્ગજ ખેલાડી પણ ટૂંક સમયમાં વનડે અને ટેસ્ટ ફોર્મેટને અલવિદા કહી દે તેવી સંભાવના છે.

ઈશાંત શર્મા: વાપસીની કોઈ આશા ન બચતા નિવૃત્તિની તૈયારી

Ishant Sharma.JPG

અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્મા (Ishant Sharma) ઘણા લાંબા સમયથી ટીમ ઈન્ડિયાના સેટઅપમાંથી બહાર છે. તેઓ સ્થાનિક ક્રિકેટમાં ભલે રમી રહ્યા હોય, પણ હવે ઇન્ટરનેશનલ ટીમમાં તેમની વાપસીની કોઈ આશા બચી નથી. આ સ્થિતિમાં તેઓ પણ ટૂંક સમયમાં સત્તાવાર રીતે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે.