Get The App

ભગવાને જેટલું આપ્યું તેનાથી ખુશ છું...: નિવૃત્તિ અંગે રોહિત શર્મા થયો ભાવુક

Updated: Jun 23rd, 2025

GS TEAM

Google News
Google News
ભગવાને જેટલું આપ્યું તેનાથી ખુશ છું...: નિવૃત્તિ અંગે રોહિત શર્મા થયો ભાવુક 1 - image
Image instagram

Rohit Sharma Emotional on Retirement: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટર રોહિત શર્માએ 7 મે 2025ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. રોહિત T20 ઈન્ટરનેશનલ પહેલા જ અલવિદા કહી ચૂક્યા છે. તેઓ ભારતીય ટીમ માટે હવે માત્ર વનડે ક્રિકેટ માટે જ રમશે. રોહિત શર્માએ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લીધા પછી શુભમન ગિલને સૌથી મોટા ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ સોપવામાં આવી છે. શુભમન ઇંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટ દ્વારા ટેસ્ટ કેપ્ટનશીપમાં ડેબ્યૂ કર્યું છે.

આ પણ વાંચો: નિવૃત્તિ અંગે બુમરાહની જાહેરાત, કહ્યું- અમુક લોકો બોલ્યા રાખે, હું ધ્યાન નથી આપતો

'મને કોઈ વાતનો અફસોસ નથી'

રોહિત શર્મા અને તેની વાઈફ રીતિકા સજદેહે હાલમાં જ યૂટ્યુબ શો 'હું ઈઝ ધ બેસ્ટ'માં ભાગ લીધો હતો. આ શોના હોસ્ટ હરભજન સિંહ અને તેમની પત્ની ગીતા બસરા છે. આ શોમાં રોહિત શર્માએ તેના દિલની વાત કરી હતી. રોહિત શર્માએ કહ્યું કે, મને કોઈ વાતનો અફસોસ નથી તેમજ મારા કોઈ નિર્ણયથી મને પસ્તાવો થઈ રહ્યો. પછી ભલે મારા સંન્યાસની વાત કેમ ન હોય, જેટલું ભાગ્યમાં લખ્યું હતું તેટલું મળવાનું જ હતું.'

રોહિત શર્માએ વધુમાં કહ્યું કે, 'મને બે થી ત્રણ ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, જીવનમાં તમને કઈ વાતનો અફસોસ છે. તો મે કહ્યું કે, કોઈ વાતનો અફસોસ નથી. જો હું મારા જીવનના 25 વર્ષ પાછળ જોવું તો, હું જોઈ શકું છું કે મારુ જીવન કેવું હતું. એ સમયે હું એવું વિચારી પણ નહોતો શકતો હતો કે, આટલી ઉપલબ્ધીઓ અને આટલી ઓળખ સાથે આજે અહીં બેઠો હોઈશ.'

આ પણ વાંચો: 6 કેચ છોડ્યાં, 109 રનનું નુકસાન કર્યું, કેપ્ટન ગિલને પહેલી જ ટેસ્ટમાં ભારે ન પડી જાય આ ભૂલો

'ભગવાને જે પણ આપ્યું છે...'

રોહિત શર્માએ વધુમાં આગળ કહ્યું કે, 'ભગવાને જે પણ કાંઈ આપ્યું છે, હું તેમાં ખુશ છું. મને ખબર છે... હજુ પણ લોકો પુછશે કે તમે આ મેળવી શકતા હતા. તમે આ કેમ ન કર્યું, પેલુ કેમ ન કર્યું. જેટલું લખ્યુ છે, તેટલું જ મળવાનું છે. તો આ મારા માટે લખ્યું હતું અને એટલું ભગવાને મને આપ્યું છે, તેના માટે હું તેમનો આભારી છું.'

Tags :