Get The App

આજે અમદાવાદમાં ક્વૉલિફાયર-2, મુંબઈ ઈન્ડિયન્સ 11 વર્ષથી અહીં જીતી નથી, પંજાબે પણ કમર કસી

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
આજે અમદાવાદમાં ક્વૉલિફાયર-2, મુંબઈ ઈન્ડિયન્સ 11 વર્ષથી અહીં જીતી નથી, પંજાબે પણ કમર કસી 1 - image


MI Record At Narendra Modi Stadium: IPL 2025ની બીજી ક્વોલિફાયર મેચ રવિવારે (પહેલી  જૂન) મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પંજાબ કિંગ્સની ટીમ  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે પહેલી ક્વોલિફાયર મેચ હાર્યા બાદ આ મેચ રમવા માટે આવી છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ એલિમિનેટર મેચમાં ગુજરાતને હરાવીને આ મેચ રમશે. પરંતુ આ મેચ પહેલા મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા એક આંકડા જોઈને ખૂબ જ નારાજ થશે.

અમદાવાદનું મેદાન MI માટે કેમ કમનસીબ છે?

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે કમનસીબ સાબિત થઈ રહ્યું છે. છેલ્લી 6 મેચમાંથી 5 મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે આ મેદાન પર છેલ્લી જીત વર્ષ 2014માં મેળવી હતી. મુંબઈ ઈન્ડિયન્સ 11 વર્ષથી આ મેદાન પર કોઈ મેચ જીતી શક્યું નથી. ભલે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં હોય, પરંતુ આ આંકડાઓ જોઈને કેપ્ટન હાર્દિક સ્વાભાવિક રીતે જ તણાવમાં હશે. તે પંજાબ સામેની આગામી મેચમાં આ હારનો સિલસિલો તોડવા માંગશે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા સાથે ઝઘડાની અટકળો વચ્ચે શુભમન ગિલની સ્પષ્ટતા, ફોટો શેર કરી ટ્રોલર્સની બોલતી કરી બંધ

મોદી સ્ટેડિયમ પર એમઆઈએ પોતાની છેલ્લી મેચ ક્યારે રમી હતી?

મુંબઈ ઈન્ડિયન્સ ટીમે આ સિઝનમાં આ મેદાન પર પોતાની છેલ્લી મેચ ગુજરાત ટાઇટન્સ સામે રમી હતી, જ્યાં તેઓ 36 રનથી હારી ગયા હતા. તે મેચમાં ગુજરાતે પહેલા બેટિંગ કરીને આઠ વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. જવાબમાં, મુંબઈની ટીમ 20 ઓવર સુધી બેટિંગ કર્યા પછી માત્ર 160 રન જ બનાવી શકી હતી. તે મેચમાં પ્રખ્યાત કૃષ્ણાએ ગુજરાત માટે શાનદાર બોલિંગ કરી હતી. તેણે પોતાના ચાર ઓવરના સ્પેલમાં માત્ર 18 રન આપીને બે વિકેટ લીધી હતી. આ શાનદાર બોલિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

જીટી સામેની છેલ્લી મેચમાં એમઆઈનું પ્રદર્શન કેવું રહ્યું?

મુંબઈ ઈન્ડિયન્સ ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં છે. તેમણે એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. એમઆઈ માટે સારી વાત એ છે કે તેમના બધા ખેલાડીઓ ફોર્મમાં છે. રોહિતે ગુજરાત સામેની એલિમિનેટર મેચમાં 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના સિવાય બાકીના ખેલાડીઓએ પણ સારી બેટિંગ કરી હતી, જેના કારણે ટીમને ત્યાં આસાન જીત મળી હતી. હાર્દિક પંડ્યા અને તેમની કંપની બીજા ક્વોલિફાયર મેચમાં પણ આ જ ફોર્મ જાળવી રાખવા માંગશે.

આજે અમદાવાદમાં ક્વૉલિફાયર-2, મુંબઈ ઈન્ડિયન્સ 11 વર્ષથી અહીં જીતી નથી, પંજાબે પણ કમર કસી 2 - image



Tags :