For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મૂંઝવણ .

Updated: Apr 22nd, 2024

મૂંઝવણ                                                               .

- હું મારા એક મસિયાઈ ભાઈ તરફ આકર્ષાઈ અને અમે બધી મર્યાદાઓ ઓળંગી ગયાં. હું એની સાથે લગ્ન કરવા નથી માગતી, પરંતુ શારીરિક આકર્ષણ એવું પ્રબળ છે, જે મને એનાથી જુદી નથી પડવા દેતું.

આઠ વર્ષ પહેલાં મને પ્રસૂતિ આવી ત્યારથી આજ સુધી યોનિમાંથી સફેદ પ્રવાહી નીકળ્યા કરે છે.  મેં બધી જાતની દવાઓ અજમાવી જોઈ, પણ તેમાં કોઈ સુધારો જણાતો નથી. તમે આ તકલીફનો કોઈ ઉપાય બતાવશો?

- એક સ્ત્રી (મુંબઈ)

* તમને જો આઠ વર્ષથી શ્વેત પ્રદરની તકલીફ હોય અને તે દવાઓ લેવા છતાં દૂર ન થઈ હોય, તો પણ તેનું કારણ સામાન્ય જેવ જેવું મામૂલીયે હોઈ શકે છે અને કશુંક વધારે ગંભીર પણ હોઈ શકે છે. શ્વેત પ્રદરના આ સ્ત્રાવને પ્રસૂતિ સાથે સંબંધ હોય પણ ખરો અને ન પણ હોય. તેથી આઠ આઠ વર્ષથી ઘર કરી ગયેલી આ જીર્ણ બીમારીનું સાચું કારણ નક્કી કરવા તમે કોઈ કુશળ સ્ત્રીરોગ  નિષ્ણાતને મળો તે ખૂબ જરૂરી છે.

દર મહિને મને માસિક તેના નિર્ધારિત સમય કરતાં આઠ-દિવસ મોડું આવે છે. કેટલીકવાર તોે પંદર દિવસ જેટલું મોડું થઈ જાય છે. આના લીધે ભવિષ્યમાં કોઈ ગૂંચવાડો ઊભો થશે નહીં. યોગ્ય સલાહ આપશો.

- એક યુવતી    (અમદાવાદ)

* માસિક મોડું આવવાની તકલીફ સ્ત્રીઓમાં સામાન્ય છે. વહેલું ગર્ભધારણ, હોર્મોનના પ્રમાણમાં ગરબડ માનસિક તાણ, લાંબો પ્રવાસ, બીજી કોઈ બીમારી મટાડવા  તમે લેતાં હો તે દવાઓ, અંતઃસ્ત્રાવ ગ્રંથિની ગરબડ વગેરે જેવાં અનેક કારણોના લીધે માસિક મોડું આવી શકે છે. આ સમસ્યાના વધુ ચોક્કસ  નિદાન માટે ઉંમર, બીજી શારીરિક તકલીફો, બીમારીને લગતાં બીજા લક્ષણો  વગેરે જેવી તમામ વિગતો જાણવી જોેઈએ. તેથી મને લાગે છે કે તમને માસિક શા માટે મોડું આવે છે તે નક્કી કરવા સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટરને મળશો.

મારાં લગ્નને દસ  વર્ષ થઈ ગયાં છે. છેલ્લાં એકાદ વર્ષથી માસિકના દિવસો દરમિયાન મારાં સ્તનમાં દુખાવો થાય છે. અગાઉ આ દુખાવો માત્ર પીઠ અને પેડુમાં જ થતો હતો. શું મારે ડોક્ટરને મળીને સલાહ   લેવાની જરૂર છે?

- એક યુવતી (રાજકોટ)

* માસિક આવતાં પહેલાં કે માસિક દરમિયાન સ્તનમાં થતો દુખાવો 'ક્રોનિક માસ્ટીટીઝ' એટલે કે સ્તનમાં આવતા સોજાના કારણે અથવા તો 'માસિક' પહેલાની માનસિક તાણ'ના  નામે ઓળખાતાં ઘણાં બધાં લક્ષણોનો એક ભાગ પણ હોઈ શકે છે. આ બેમાંથી કોઈપણ સ્થિતિમાં તકલીફનું સાચું કારણ જાણવા, સ્ત્રીરોગોના નિષ્ણાત ડોક્ટર પાસે પૂરતી તપાસ કરાવવી જરૂરી છે.  તેથી ડોક્ટરની સલાહ મુજબ ઈલાજ કરાવશો.

હું ૧૮ વર્ષની યુવતી છું. એક યુવકને પ્રેમ કરું છું, અમે ખૂબ જ સમજાવ્યાં છતાં મારા ઘરનાં લોકો અમને સાથે નથી રહેવા દેતાં. હું જાણવા માગું છું કે કોઈના રક્ષણ વગર  હું સ્વતંત્ર રહી શકું કે નહી?

- એક યુવતી (આણંદ)

* તમે ખુલાસો નથી કર્યો કે તમારા ઘરનાં લોકોને તમારો પ્રેમી કેમ પસંદ નથી.

ઘરનાં લોકોથી જુદા થઈ એક કુંવારી છોકરી જો કોઈ યુવક સાથે રહે, તો તેના ચારિત્ર્ય તરફ સમાજ આંગળી ચીંધશે સમાજ એ સંબંધ ક્યારેય નહીં સ્વીકારે. જો તમે એ યુવક વગર ન રહી શકતાં હો અને તમને એ યુવક યોગ્ય લાગતો હોય, તોે તેની સાથેત લગ્ન કરી લો.

હું સરકારી સંસ્થામાં કામ કરતી પરિણીતા છું. મારો પતિ દારૂડિયો અને ચારિત્ર્યહીન છે. ૧૦ વર્ષ સુધી એનો ત્રાસ સહન કરતી રહી. હવે સહનશક્તિ રહી નથી, આથી મારી ૯ વર્ષની એકની એક દીકરીને લઈને પિયર આવી ગઈ છું. 

હવે  મને દહેજમાં આપેલી વસ્તુઓ અને મેં જાતે ખરીદેલી વસ્તુઓ હું સાસરેથી લઈ આવવા માગું છું તો સાથે સાથે મારી દીકરીના ભરણપોષણનો ખર્ચ પણ ત્યાંથી મેળવવા માગું છું. પતિને છૂટાછેડા આપી બીજાં લગ્ન કરું, તો સુખી થઈશ?

- એક બહેન (સૂરત) 

* પતિને છૂટાછેડા આપ્યા પછી તમને સાસરેથી તમારો સામાન અને દીકરી માટે ભરણપોષણ તો મળી જશે, પરંતુ છૂટાછેડા  પછી પુનર્લગ્ન કરવાથી તમે સુખી થઈ શકશો કે નહીં, એ કેવી રીતે કહી શકાય?

જો  પરસ્પરની સંમતિથી છૂટાછેડા મળી જાય, તો તમારે તમારા માટે એક એવી વ્યક્તિ શોધવી પડશે, જે એક યોગ્ય પતિ સાબિત થાય, તે ઉપરાંત તમારી દીકરીને પણ સહર્ષ સ્વીકારે. એ પછી પણ તમારે સુખી દામ્પત્ય  માણવા માટે કેટલીક બાંધછોડ તો કરવી જ પડશે.

 હું મુંબઈની એક કોલેજમાં બી.એ.ના છેલ્લા વર્ષમાં ભણું છું. બે વર્ષ પહેલાં હું રજાઓમાં એક ગામ ગઈ, ત્યારે ત્યાં હું મારા એક મસિયાઈ ભાઈ તરફ આકર્ષાઈ અને અમે બધી મર્યાદાઓ ઓળંગી ગયાં. તે મારી સાથે લગ્ન કરવા માગે છે, પણ એથી મારી કારકિર્દી, મા-બાપની આબરૂ એ બધું જ ખરાબ થઈ જશે. હું એની સાથે લગ્ન કરવા નથી માગતી, પરંતુ શારીરિક આકર્ષણ એવું પ્રબળ છે, જે મને એનાથી જુદી નથી પડવા દેતું.

એક  યુવતી (મુંબઈ)

* ન તો તમે અણસમજુ છો અને ન તો આ કિશોરાવસ્થાનો ઉન્માદ છે.  તમે ભણેલાંગણેલાં  અને પરિપક્વ છો. તમને આવી ચારિત્ર્યહીનતા શોભતી નથી. ભલાઈ એમાં જ છે કે જાત પર કાબૂ રાખી એ યુવકથી દૂર રહો. જો તમે તમારી જાતીય ઈચ્છાઓ પર કાબૂ ન રાખી શકતાં હો, તો લગ્ન કરી નાખો. લગ્ન પછી પણ તમે ભણી શકો છો.

- અનિતા

Gujarat