India

મૂશળધાર વરસાદ વચ્ચે ભૂસ્ખલન થતાં રુદ્રપ્રયાગમાં મોટી દુર્ઘટના, 4 લોકોના દટાઈ જતાં મૃત્યુ

By GS Team
23 Aug 20241 min read
This article was originally published on 23 Aug 2024
TukuTouch Logo
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ગત મોડી રાતે ભારે વરસાદને પગલે 4 લોકો કાટમાળમાં દટાઈ ગયાની ચકચાર મચાવતી ઘટના બની હતી. મૂશળધાર વરસાદને પગલે પર્વતો પરથી ભારે ભૂસ્ખલન થતાં આ ઘટના બની હતી. ચાર લોકો તેની લપેટમાં આવી ગયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

મૂશળધાર વરસાદ વચ્ચે ભૂસ્ખલન થતાં રુદ્રપ્રયાગમાં મોટી દુર્ઘટના, 4 લોકોના દટાઈ જતાં મૃત્યુ

Kedarnath Dham Yatra: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ગત મોડી રાતે ભારે વરસાદને પગલે 4 લોકો કાટમાળમાં દટાઈ ગયાની ચકચાર મચાવતી ઘટના બની હતી. મૂશળધાર વરસાદને પગલે પર્વતો પરથી ભારે ભૂસ્ખલન થતાં આ ઘટના બની હતી. ચાર લોકો તેની લપેટમાં આવી ગયા હતા. 

રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે 

રેસ્ક્યૂ ટીમના અધિકારીઓના અહેવાલ અનુસાર મોડી રાતે લગભગ 1:30 વાગ્યાના સુમારે હેલીપેડ સામે જ ખાટ ગડેરે નજીક કાટમાળ ધસ્યો હોવાની જાણકારી મળી હતી. જેમાં ચાર લોકો દટાઈ ગયા હતા. અમારી ટીમ હાલમાં રેસ્ક્યૂ અભિયાન ચલાવીને તેમને શોધવાનો પ્રયાસ કરી રહી છે. અમુક મીડિયા અહેવાલોમાં આ ચારેય લોકો મૃત્યુ પામી ગયાનો દાવો પણ કરાયો છે.