India
મૂશળધાર વરસાદ વચ્ચે ભૂસ્ખલન થતાં રુદ્રપ્રયાગમાં મોટી દુર્ઘટના, 4 લોકોના દટાઈ જતાં મૃત્યુ
By GS Team
23 Aug 20241 min read
This article was originally published on 23 Aug 2024
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ગત મોડી રાતે ભારે વરસાદને પગલે 4 લોકો કાટમાળમાં દટાઈ ગયાની ચકચાર મચાવતી ઘટના બની હતી. મૂશળધાર વરસાદને પગલે પર્વતો પરથી ભારે ભૂસ્ખલન થતાં આ ઘટના બની હતી. ચાર લોકો તેની લપેટમાં આવી ગયા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ગત મોડી રાતે ભારે વરસાદને પગલે 4 લોકો કાટમાળમાં દટાઈ ગયાની ચકચાર મચાવતી ઘટના બની હતી. મૂશળધાર વરસાદને પગલે પર્વતો પરથી ભારે ભૂસ્ખલન થતાં આ ઘટના બની હતી. ચાર લોકો તેની લપેટમાં આવી ગયા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info

Kedarnath Dham Yatra: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ગત મોડી રાતે ભારે વરસાદને પગલે 4 લોકો કાટમાળમાં દટાઈ ગયાની ચકચાર મચાવતી ઘટના બની હતી. મૂશળધાર વરસાદને પગલે પર્વતો પરથી ભારે ભૂસ્ખલન થતાં આ ઘટના બની હતી. ચાર લોકો તેની લપેટમાં આવી ગયા હતા.
રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે
રેસ્ક્યૂ ટીમના અધિકારીઓના અહેવાલ અનુસાર મોડી રાતે લગભગ 1:30 વાગ્યાના સુમારે હેલીપેડ સામે જ ખાટ ગડેરે નજીક કાટમાળ ધસ્યો હોવાની જાણકારી મળી હતી. જેમાં ચાર લોકો દટાઈ ગયા હતા. અમારી ટીમ હાલમાં રેસ્ક્યૂ અભિયાન ચલાવીને તેમને શોધવાનો પ્રયાસ કરી રહી છે. અમુક મીડિયા અહેવાલોમાં આ ચારેય લોકો મૃત્યુ પામી ગયાનો દાવો પણ કરાયો છે.




