India

આજે PM મોદી 20 રાજ્યોમાં 75 અમૃત ભારત સ્ટેશનોનું કરશે ઉદઘાટન, જોઈ લો સંપૂર્ણ યાદી

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 20 રાજ્યોમાં ₹1570 કરોડના ખર્ચે પુનર્વિકાસ કરાયેલા 75 'અમૃત ભારત' રેલવે સ્ટેશનોનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ મેગા પ્રોજેક્ટનો હેતુ મુસાફરોને એરપોર્ટ જેવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પૂરી પાડવાનો છે. ગુજરાતના પ્રતાપનગર, ગોધરા, પોરબંદર અને ભક્તિનગર સહિત અનેક સ્ટેશનોને આધુનિક ઓપ મળ્યો છે, જે સ્થાનિક સંસ્કૃતિને પણ દર્શાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજે PM મોદી 20 રાજ્યોમાં 75 અમૃત ભારત સ્ટેશનોનું કરશે ઉદઘાટન, જોઈ લો સંપૂર્ણ યાદી

PM Modi Inaugurates 75 Amrit Bharat Stations : દેશના રેલ મુસાફરો માટે આજનો દિવસ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘અમૃત ભારત રેલવે સ્ટેશન’ યોજના હેઠળ દેશના 20 રાજ્યોમાં ફેલાયેલા 75 પુનર્વિકસિત અમૃત ભારત સ્ટેશનોનું ભવ્ય ઉદ્ઘાટન કરશે. આ મેગા પ્રોજેક્ટ પાછળ કુલ 1570 કરોડ રૂપિયાનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય રેલવેના મુસાફરોને એરપોર્ટ જેવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ આપવાનો અને તેમની સફરને વધુ આરામદાયક બનાવવાનો છે.

એરપોર્ટ જેવી હાઇટેક સુવિધાઓથી સજ્જ થયા સ્ટેશનો

આ તમામ 75 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યા છે. હવે મુસાફરોને ભારે સામાન લઈને સીડીઓ ચઢવાની જરૂર નહીં પડે, કારણ કે દરેક મુખ્ય પ્લેટફોર્મ પર હાઇ-સ્પીડ એસ્કેલેટર (સરકતી સીડી) અને લિફ્ટ લગાવવામાં આવી છે.
આલીશાન એક્ઝિક્યુટિવ લાઉન્જ અને વિશાળ વેટિંગ હોલ.
અત્યંત સ્વચ્છ શૌચાલય અને મોર્ડન કેફેટેરિયા
સુરક્ષા માટે સમગ્ર સ્ટેશન પરિસરમાં હાઇ-રિઝોલ્યુશન CCTV કેમેરા.
ટ્રેનની સચોટ માહિતી માટે આધુનિક ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ.
દિવ્યાંગ મુસાફરો માટે ખાસ રેમ્પ અને અનુકૂળ શૌચાલયની વ્યવસ્થા.

સ્થાનિક સંસ્કૃતિ અને પ્રવાસનને મળશે વેગ

આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે દરેક સ્ટેશનને તે શહેરની સ્થાનિક સંસ્કૃતિ, ઇતિહાસ અને સ્થાપત્ય કલા (આર્કિટેક્ચર)ને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમ કે પંજાબના સ્ટેશનો પર ત્યાંનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો દેખાશે, તો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના સ્ટેશનો પર પરંપરાગત કલા અને ઐતિહાસિક વૈભવની ઝાંખી કંડારવામાં આવી છે. આ પ્રયોગથી સ્ટેશનો માત્ર સુંદર જ નહીં દેખાય, પરંતુ સ્થાનિક પ્રવાસન (ટુરિઝમ)ને પણ મોટો વેગ મળશે.

ગુજરાત સહિત આ રાજ્યોને થયો સૌથી વધુ ફાયદો

આ યોજના અંતર્ગત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઓડિશા, કેરળ અને ગુજરાતના સૌથી વધુ રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગુજરાતની વાત કરીએ તો વડોદરાનું પ્રતાપનગર સ્ટેશન 72 કરોડના ખર્ચે, જ્યારે ગોધરા (6 કરોડ), પોરબંદર (7 કરોડ) અને ભક્તિનગર (24 કરોડ) સ્ટેશનોને આધુનિક ઓપ આપવામાં આવ્યો છે.

ટોપ 6 સ્ટેશનો જ્યાં સૌથી વધુ ખર્ચ થયો
જૈસલમેર (રાજસ્થાન): 140 કરોડ રૂપિયા
જાલંધર કેન્ટ (પંજાબ): 99 કરોડ રૂપિયા
પ્રતાપનગર (ગુજરાત): 72 કરોડ રૂપિયા
જલપાઈગુડી રોડ (પશ્ચિમ બંગાળ): 35 કરોડ રૂપિયા
ફતેહપુર (ઉત્તર પ્રદેશ): 33 કરોડ રૂપિયા
કાલકા (હરિયાણા): 31 કરોડ રૂપિયા