એર સ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ પોસ્ટ કરી આ કવિતા, તમે પણ વાંચો
Updated: Feb 26th, 2019
નવી દિલ્હી,તા.26.ફેબ્રુઆરી 2019, મંગળવાર
પાકિસ્તાન સામે ઉરી હુમલા બાદ પહેલી સર્જિકલ સ્ટ્રાઈક કરવાની જવાબદારી આર્મીના ખભે હતી અને હવે પુલવામા હુમલા બાદ બીજી સર્જિકલ સ્ટ્રાઈક વાયુસેનાએ કરી છે.
પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદી કેમ્પો વાયુસેનાએ નષ્ટ કર્યા બાદ ભારતીય સેનાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર કવિ રામધારી સિંહ દિનકરની એક કવિતા પોસ્ટ કરી હતી.
આ કવિતામાં પાકિસ્તાનની સરખામણી આડકતરી રીતે કૌરવો સાથે કરીને સંદેશ આપવામાં આવ્યો છે કે કોઈની ક્ષમાભાવનાને કાયરતા ગણવાની ભૂલ કદાપી ના કરવી જોઈએ..
Gujarat