For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શહીદોના શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં કોંગ્રેસી નેતાઓએ કરી આવી શરમજનક હરકત

Updated: Feb 23rd, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.23.ફેબ્રુઆરી 2019, શનિવાર

પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ આપવા માટે યોજાયેલા એક કાર્યક્રમમાં કોંગ્રેસી નેતાઓ મોતનો મલાજો વીસરી ગયા હતા.

ઉત્તરાખંડના હરિદ્વાર પાસે રુડકી ખાતે શહીદોને શ્રધ્ધાંજલિ આપવા માટે યોજાયેલા એક કવ્વાલી કાર્યક્રમમાં કોંગ્રેસી નેતાઓએ કવ્વાલો પર નોટો ઉછાળી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ સીએમ હરીશ રાવતના પુત્ર વિરેન્દ્ર રાવત સામેલ થયા હતા.તેમને પર પણ કોંગ્રેસીઓએ નોટોનો વરસાદ કર્યો હતો.આ હરકતને રોકવાની જગ્યાએ વિરેન્દ્ર સિંહ હસતા હસતા તેની મજા લેતા નજરે પડ્યા હતા.

તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ હતુ કે આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમ થકી અમે 56 ઈંચની છાતી ધરાવતા પીએમ મોદીને જગાડવા માંગીએ છે.દેશમાં શહીદ જવાનોની સંખ્યા વધી રહી છે.મોદીજીની સાથે આખો દેશ ઉભો છે ત્યારે તેમણે કંઈક એવુ પગલુ ભરવુ જોઈએ કે દુશ્મન શાંત થઈ જાય.

Gujarat