For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુલવામા આતંકવાદી હુમલાનો મુખ્ય કાવતરાખોર આદિલ ડાર કોણ છે જાણો.....

Updated: Feb 15th, 2019

પુલવામા આતંકવાદી હુમલાનો મુખ્ય કાવતરાખોર આદિલ ડાર કોણ છે જાણો.....નવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2019, શુક્રવાર

પુલવામામાં ગુરૂવારના રોજ થયેલા આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 37 જવાનો શહિદ થઇ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે આ ખૂની ખેલને અંજામ આપવામાં પુલવામાનો રહેવાસી આદિલ અહેમદ ડારનો હાથ હતો. 

અફઘાનિસ્તાનમાંથી પોતાનું સૈન્ય પાછું બોલાવવની અમેરિકાની જાહેરાત તાલિબાને પોતાની જીત તરીકે દુનિયા સામે રજુ કર્યું અને આ વાતે ડારને આત્મઘાતી હુમલો કરવા પ્રોત્સાહન પુરૂ પાડ્યું. ડાર એક વર્ષ પહેલા જૈશ-એ-મોહમ્મદમાં શામેલ થયો હતો.

પુલવામામાં આતંકવાદી હુમલાની થોડીક મિનિટ બાદ મેસેજિંગ પ્લેટફોર્મ પર એક યુવકની તસવીર અને બે વિડિયો આગની જેમ વાયરલ થઇ રહી છે.

આ બંને વિડિયોમાં યુવકે પુલવામામાં હુમલાની જવાબદારી લીધી. મીડિયા રિપોર્ટ અનુસાર આ વિડિયોમાંથી એક કાશ્મીરી અને બીજો ઉર્દુ ભાષામાં હતો. આ વિડિયોમાં આદિલનો શાહદતનો સંદેશ હતો. એવું લાગી રહ્યું છે કે આ બંને વિડિયો જેશ-એ-મોહમ્મદે પહેલાથી રેકોર્ડ કરી રાખ્યાં હશે.

આ વિડિયોમાં જૈશનો આતંકવાદી હોવાનો દાવો કરી રહેલો યુવક પોતાની ઓળખ પુલવામાના કાકપોરા વિસ્તારના ગાંદીબાધના આદિલ અહમદ ડાર ઉર્ફ વકાસ કમાન્ડર તરીકે કરી. પોલીસ સુત્રો અનુસાર આ વાતની ખાતરી કરવામાં આવી છે કે બસ સાથે વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો કાર અથડાવનાર શંકાસ્પદ આતંકવાદી આદિલ ડાર હતો.

પુલવામામાં આતંકવાદી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જમ્મુમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહ શ્રીનગરની મુલાકાત લેશે.

Gujarat