For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખુલી ગઈ પાક સેનાની પોલ, બાલાકોટના નાગરિકો જ કહે છે કે ભારે તબાહી સર્જાઈ છે

Updated: Feb 26th, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.26.ફેબ્રુઆરી 2019, મંગળવાર

ભારતીય વાયુસેનાના મિરાજ-2000 વિમાનોએ આતંકવાદી કેમ્પો પર કરેલા હુમલા બાદ પાકિસ્તાનની સેના અને સરકારના જુઠ્ઠાણાની પોલ તેના જ નાગરિકો ખોલી રહ્યા છે.

પાકિસ્તાને સેનાએ એવી શેખી હાંકી હતી કે ભારતીય વિમાનોના હુમલામાં કોઈ નુકસાન થયુ નથી પણ વાયુસેનાએ જ્યાં બોમ્બ વરસાવ્યા છે તે બાલાકોટના એક નાગરિક મહોમ્મદ આદિલે આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલની વાતચીતમાં કહ્યુ હતુ કે રાતે લગભગ 3 વાગ્યા હતા.એવામાં બહુ મોટો ધડાકો સંભળાયો હતો.એવુ લાગ્યુ કે જાણે પ્રલય આવી ગયો હોય.પછી ખબર પડી કે ધડાકો થયો છે.સંખ્યાબંધ મકાનો તબાહ થઈ ગયા છે.લગભગ પાંચેક મિનિટ સુધી વિમાનોના અવાજ સંભળાયા હતા અને પછી અવાજો બંધ થઈ ગયા હતા.

દરમિયાન બાલાકોટ ખાતેની એક હોટલના માલિકે એક ભારતીય ન્યૂઝ ચેનલને કહ્યુ હતુ કે રાતે ત્રણ વાગ્યે ચાર થી પાંચ બોમ્બ પડયા હતા.હુમલો થયો છે તે જગ્યા મારી હોટલથી એક કિમી દુર છે. ભારતના હુમલા બાદ બાલાકોટ અને આસપાસના વિસ્તારમાં ફફડાટનો માહોલ છે.

Gujarat