For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દોઢ વર્ષની પુત્રીને ખોળામાં લઈ શહીદની પત્નીએ કહ્યું, ઉડાવી દો પાકને

Updated: Feb 15th, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.15.ફેબ્રુઆરી 2019, શુક્રવાર

જમ્મુના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાન વિજય કુમાર મૌર્યની પત્નીએ પોતાના માસૂમ પુત્રીને ખોળમાં બેસાડીને રડતા રડતા કહ્યુ હતુ કે બહુ થયુ હવે પાકિસ્તાનને ઉડાવી દો.

શહીદ વિજય આઠ ફેબ્રુઆરીએ રજા લઈને પોતાના પરિવારને મળવા માટે આવ્યા હતા.એ પછી તેઓ પાછા જવા રવાના થઈ ગયા હતા.શહીદના પિતાએ કહ્યુ હતુ કે વીજય ત્રણ ભાઈઓમાં સૌથી નાના છે.મોટા ભાઈ ગુજરાતમાં નોકરી કરે છે.વિજયની દોઢ વર્ષની બાળકી છે.

વિજયના શહીદ થવાના ખબર તેના ગામમાં પહોંચ્યા બાદ તેના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.જ્યારે ગામના લોકોએ પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.વિજયની પત્નીએ રડતા રડતા કહ્યુ હતુ કે ઉડાવી દો પાકિસ્તાનને સરકારે હવે આકરી કાર્યવાહી કરવી જોઈએ.જ્યારે શહીદના પિતાનુ કહેવુ છે કે ખૂનનો બદલો ખૂનથી લો.પાકિસ્તાનને પાઠ ભણાવો 

Gujarat