કાવડિયાઓ સરકારી સંરક્ષણ ઉછરતા ગુંડા-માફિયા', સ્વામી પ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Swami Prasad Maurya statement: અપની જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ કાવડિયા પર વિવાદાસ્પદ નિવેદનને લઈને ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ કાવડિયાને સત્તા સંરક્ષણમાં ઉછરતા ગુંડા અને માફિયા કહ્યા છે.
આ પણ વાંચો: UK અને માલદિવ્સની મુલાકાતે જશે વડાપ્રધાન મોદી, બ્રિટનની સાથે FTAની થઈ શકે છે જાહેરાત
અપની જનતા પાર્ટીની રાજ્ય સ્તરીય બેઠકમાં સ્વામી પ્રસાદે કહ્યું કે, 'આ કાવડીયા નથી કારણ કે તેમના આરાધ્ય ભોલે બાબા છે, તો પછી તેમના ભક્ત હિંસક કેવી રીતે હોઈ શકે. કાવડીયાઓ ગુંડા અને માફિયા છે, જેમને સરકારના રક્ષણ હેઠળ ઉછેરવામાં આવે છે અને અરાજકતા ફેલાવી રહ્યા છે. કાવડીયાઓના વેશમાં તેઓ સમગ્ર રાજ્યમાં કાયદાનો ભંગ કરી રહ્યા છે.'
બંધ શાળાઓના વિરોધમાં બાઇક રેલી નીકળશે
આ ઉપરાંત, પૂર્વ કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, વર્તમાન સમયમાં જે ભારતીય બંધારણ સાથે થઈ રહેલી છેડછાડને લઈને રાજ્ય સ્તરીય બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે, અપની જનતા પાર્ટીનું એકમ શાળાઓના વિલીનીકરણનો વિરોધ કરી રહ્યું છે. બંધ કરાયેલી શાળાઓના વિરોધમાં બાઇક રેલી કાઢવામાં આવશે, જે તમામ વિકાસ બ્લોકમાં લઈ જવામાં આવશે.
ભાજપ રાજ્યને અરાજકતાની આગમાં ધકેલી રહ્યું છે
સ્વામી પ્રસાદે કહ્યું કે, 'જે રીતે ભાજપ સરકાર આ રાજ્યને અરાજકતાની આગમાં ધકેલી રહી છે. ભાજપ દ્વારા સુરક્ષા મેળવી ભાજપ ગુંડાઓ, માફિયાઓ અને ગુનેગારોને કાયદાનો દુરુપયોગ કરી છૂટ મેળવી રહ્યા છે.








