India

અજિત પવારની અંતિમ ઈચ્છા પૂરી થશે? NCPના વિલય અંગે ભત્રીજા રોહિતનો મોટો દાવો

By GS TEAM
6 Feb 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના રાજકારણમાં અને પવાર પરિવારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે રોહિત પવારે એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે. બારામતીમાં મીડિયા સાથે વાતચીત કરતા રોહિત પવારે સ્પષ્ટ કર્યું કે, પક્ષના તમામ ધારાસભ્યો, કાર્યકરો અને આખો પવાર પરિવાર ઈચ્છે છે કે સુનેત્રા પવાર જ NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળે.

Summarized by AI; it may make mistakes. Check important info

અજિત પવારની અંતિમ ઈચ્છા પૂરી થશે? NCPના વિલય અંગે ભત્રીજા રોહિતનો મોટો દાવો
(IMAGE - IANS)

NCP National President: મહારાષ્ટ્રના રાજકારણમાં અને પવાર પરિવારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે રોહિત પવારે એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે. બારામતીમાં મીડિયા સાથે વાતચીત કરતા રોહિત પવારે સ્પષ્ટ કર્યું કે, પક્ષના તમામ ધારાસભ્યો, કાર્યકરો અને આખો પવાર પરિવાર ઈચ્છે છે કે સુનેત્રા પવાર જ NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળે. 

અજિત પવારની અંતિમ ઈચ્છા: NCPના વિલય માટેની પૂર્વ તૈયારીઓ

અજિત પવાર ઈચ્છતા હતા કે એનસીપીનો વિલય થઈ જાય અને એના માટે એમણે તૈયારીઓ પણ કરી લીધી હતી. એવામાં પક્ષના વિલય અંગે ચાલી રહેલી અટકળો પર વિરામ મુકતા તેમણે જણાવ્યું કે, અજિત પવારના નિધન બાદ હાલ પરિવાર શોકમાં છે, તેથી અત્યાર સુધી વિલય અંગે કોઈ સત્તાવાર ચર્ચા થઈ નથી. પરંતુ, 13 દિવસનો શોક સમયગાળો પૂર્ણ થયા બાદ, એટલે કે 9 ફેબ્રુઆરી પછી, સુનેત્રા કાકી પોતે આ મુદ્દે જાહેરમાં પોતાની વાત રજૂ કરશે.

DGCA પાસે વધુ વિગતોની માંગ

રોહિત પવારે અજિત પવારના આકસ્મિક નિધન પાછળના કારણો અંગે પણ ગંભીર સંકેતો આપ્યા છે. જે વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું મોત થયું, તેને લઈને રોહિત પવારે જણાવ્યું કે તેમની પાસે કેટલીક આંતરિક માહિતી છે અને તેઓ DGCA પાસેથી વધુ વિગતો માંગી રહ્યા છે. 

રાજકારણ બાજુ પર મૂકી સંવેદનાની અપીલ

9 ફેબ્રુઆરી પછી તેઓ સ્પષ્ટ કરશે કે વિમાનની અંદર વાસ્તવમાં શું બન્યું હતું. તેમણે આ મુદ્દે કોઈ ષડયંત્ર કે તોડફોડની આશંકાઓને નકારી નથી અને સત્ય સામે લાવવાની ખાતરી આપી છે. આ સાથે જ તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે કેટલાક વરિષ્ઠ નેતાઓ અજિત પવારની અંતિમ ઈચ્છાને સમજવાને બદલે આ ગંભીર પરિસ્થિતિને રાજકીય રંગ આપી રહ્યા છે.

આ પણ વાંચો: જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ

અજિત પવાર સ્મારક: 40 વર્ષના જાહેર જીવનની સ્મૃતિમાં ભવ્ય સંગ્રહાલય

પરિવારની એકતા અંગે વાત કરતા રોહિત પવારે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં પવાર પરિવારના સભ્યો વચ્ચેનું અંતર ઘટ્યું છે અને બંને જૂથના લોકો એકબીજાના કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. અજિત પવારના 40 વર્ષના જાહેર જીવન અને કાર્યોની યાદમાં બારામતીમાં એક ભવ્ય સંગ્રહાલય અને સ્મારક બનાવવાની પણ યોજના છે, જેના સ્થાનનો નિર્ણય વિદ્યા પ્રતિષ્ઠાનના ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવશે. અંતમાં, તેમણે મતદારોને અપીલ કરી હતી કે આગામી જિલ્લા પરિષદની ચૂંટણીઓમાં મતદાન કરીને અજિત દાદાને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરે.