Get The App

ઉત્તરાખંડમાં હથિયારધારી નિહંગોએ ગુરુદ્વારા પર કબજો કર્યો, ભક્તોને બંધક બનાવ્યા, ઈન્ટરનેટ બંધ

Updated: Jun 21st, 2026

GS TEAM

Google News
Google News
ઉત્તરાખંડમાં હથિયારધારી નિહંગોએ ગુરુદ્વારા પર કબજો કર્યો, ભક્તોને બંધક બનાવ્યા, ઈન્ટરનેટ બંધ 1 - image


Nihang Pilgrims Gurudwara Viral Video: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના નાગરાસુ સ્થિત ગુરુદ્વારામાં છેલ્લા 24 કલાકથી ચાલી રહેલો વિવાદ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. હેમકુંડ સાહિબ યાત્રા માર્ગ પર આવેલા આ ગુરુદ્વારામાં કેટલાક નિહંગ તીર્થયાત્રીઓ દ્વારા કબજો જમાવ્યા બાદ સ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શ્રદ્ધાળુઓને નિહંગ યાત્રીઓએ બંધક પણ બનાવી દીધા છે. હાલમાં વહીવટીતંત્ર ઘટનાસ્થળે હાજર છે. પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર ઉકેલ આવી શક્યો નથી.

નાગરાસુ ગુરુદ્વારામાં તણાવપૂર્ણ સ્થિતિ અને બંધક

માહિતી અનુસાર, ગુરુદ્વારા પ્રબંધન અને નિહંગ યાત્રીઓ વચ્ચેના વિવાદ બાદ કેટલાક નિહંગો ગુરુદ્વારાની છત પર ચઢી ગયા હતા. ત્યારબાદ તેમણે પરિસર પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. એવો પણ આરોપ છે કે આ દરમિયાન સેવાદારો સાથે મારપીટ અને અભદ્ર વર્તનની ઘટનાઓ પણ સામે આવી છે.

ITBPની ટીમો દ્વારા સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ

ઘટનાની માહિતી મળતા જ પોલીસ, વહીવટીતંત્ર અને ITBPની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે વિસ્તારમાં વધારાની સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. વહીવટીતંત્ર સતત વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ 24 કલાક વીતી ગયા પછી પણ મડાગાંઠ યથાવત છે.

ગુરુદ્વારા પર કબજો અને સુરક્ષા દળો તૈનાત

સ્થિતિની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે રુદ્રપ્રયાગ અને શ્રીનગર વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દીધી છે, જેથી સોશિયલ મીડિયા દ્વારા કોઈપણ પ્રકારની અફવા ન ફેલાઈ શકે. હાલમાં નાગરાસુ ગુરુદ્વારામાં ચાલી રહેલો આ વિવાદ વહીવટીતંત્ર માટે મોટો પડકાર બની ગયો છે. હેમકુંડ સાહિબ યાત્રા વચ્ચે ઊભા થયેલા આ તણાવપૂર્ણ માહોલને જોતા સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. હવે સૌની નજર વહીવટી વાતચીત અને સંભવિત ઉકેલ પર ટકેલી છે. હવે જોવાનું એ રહેશે કે આગળ શું થાય છે?