India

‘તમે ગમે તે કરો, અમે બંગલો ખાલી નહીં કરીએ’ રાબડી દેવીના બંગલા વિવાદ મુદ્દે RJDના BJP-JDU પર પ્રહાર

By GS TEAM
26 Nov 20252 mins read
TukuTouch Logo
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રદેશ અધ્યક્ષ મંગની લાલ મંડલે મોટું નિવેદન આપતાં કહ્યું છે કે, પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના 10, સર્ક્યુલર રોડ સ્થિત સરકારી બંગલાને ખાલી કરાવવાની કાર્યવાહી રાજકીય દ્વેષનું પરિણામ છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, તમે ગમે તે કરો, અમે બંગલો ખાલી નહીં કરીએ.

Summarized by AI; it may make mistakes. Check important info

‘તમે ગમે તે કરો, અમે બંગલો ખાલી નહીં કરીએ’ રાબડી દેવીના બંગલા વિવાદ મુદ્દે RJDના BJP-JDU પર પ્રહાર

Rabri Devi Bungalow Controversy : રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રદેશ અધ્યક્ષ મંગની લાલ મંડલે મોટું નિવેદન આપતાં કહ્યું છે કે, પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના 10, સર્ક્યુલર રોડ સ્થિત સરકારી બંગલાને ખાલી કરાવવાની કાર્યવાહી રાજકીય દ્વેષનું પરિણામ છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, તમે ગમે તે કરો, અમે બંગલો ખાલી નહીં કરીએ.

રાજકીય બદલાની ભાવનાનો આરોપ

મંડલે આરોપ લગાવ્યો કે, ‘નવી NDA સરકાર રાજકીય બદલાની ભાવનાથી લાલુ યાદવ અને તેમના પરિવાર વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. છેલ્લા 20 વર્ષમાં ઘણી વખત સત્તા બદલાઈ હોવા છતાં આ મુદ્દો ક્યારેય ઉઠાવવામાં આવ્યો ન હતો. જ્યારે આ જ મકાનમાં બે પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, ત્યારે અચાનક આ પગલું કેમ ભરવામાં આવી રહ્યું છે.’

‘CM નીતિશ PM મોદીનો વિશ્વાસ જીતવા માંગે છે’

RJD પ્રદેશ અધ્યક્ષે આક્ષેપ કર્યો છે કે, ‘મુખ્યમંત્રી નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતૃત્વનો વિશ્વાસ જીતવા માટે આ કાર્યવાહી કરી છે. ગૃહ વિભાગ ભાજપ પાસે આવ્યા બાદ લાલુ પરિવારને જાણીજોઈને અપમાનિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને આ કાર્યવાહી પાછળ રાજકારણ સિવાય કોઈ બીજું કારણ નથી.’

આ પણ વાંચો : રામ મંદિર, અરૂણાચલ, શેખ હસીના... વિવાદ ઉભો કરનાર પાકિસ્તાન-ચીન-બાંગ્લાદેશને ભારતે આપ્યો જડબાતોડ જવાબ

નવા આવાસની ફાળવણી

ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવનારી NDA સરકારે રાબડી દેવીને વિપક્ષના નેતાના કોટામાંથી 39, હાર્ડિંગ રોડનો નવો સરકારી આવાસ ફાળવી દીધો છે. નિયમો અનુસાર, નવું ઘર મળ્યા બાદ હવે 10, સર્ક્યુલર રોડ ખાલી કરવું ફરજિયાત છે. આ ઉપરાંત, લાલુ-રાબડી પરિવારના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવનો 26, એમ. સ્ટ્રેન્ડ રોડનો સરકારી બંગલો પણ નવા મંત્રીને ફાળવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ, ડેટામાંથી કોના હટાવાયા નામ? UIDAIએ આપી માહિતી