Get The App

મમતા બેનરજી સાથે થશે મહારાષ્ટ્ર જેવો ખેલ! 50 ધારાસભ્યો બળવાના મૂડમાં, TMCના સસ્પેન્ડેડ નેતાનો મોટો દાવો

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
મમતા બેનરજી સાથે થશે મહારાષ્ટ્ર જેવો ખેલ! 50 ધારાસભ્યો બળવાના મૂડમાં, TMCના સસ્પેન્ડેડ નેતાનો મોટો દાવો 1 - image

TMC Election Symbol: પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની પાર્ટી TMCમાં આંતરિક વિરોધનો સૂર ઉઠ્યો છે. સસ્પેન્ડ કરાયેલા નેતા રિજુ દત્તાએ મોટો દાવો કરતાં કહ્યું કે,-'ટીએમસીના 50 ધારાસભ્યોએ બેઠક કરી છે અને આ ધારાસભ્યો TMCના ચૂંટણી પ્રતીક પર કબજો કરવા માંગે છે.'

બે ધારાસભ્યોની હકાલપટ્ટી અને ગુપ્ત બેઠકો

રિજુ દત્તાએ કહ્યું કે, TMCના બે ધારાસભ્યો રિતબ્રતા બેનર્જી અને સંદીપન સાહાએ વિધાનસભા સ્પીકરને પત્ર લખીને દાવો કર્યો કે તેમની સહી નકલી છે. જે બાદ તૃણમૂલ કોંગ્રેસે(TMC) આ બંને ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે. તેમણે દાવો કર્યો, 'મેં ઘણા વર્ષો સુધી તૃણમૂલ કોંગ્રેસમાં કામ કર્યું છે, તેથી મને સમાચાર મળ્યા અને કુણાલ ઘોષે પણ પ્રેસમાં જણાવ્યું કે રિતબ્રતા બેનર્જીના નેતૃત્વમાં આશરે 50 TMC ધારાસભ્યો એક હોટેલમાં મળ્યા. તેમણે ફોન પર પણ વાત કરી અને સાંજે ધારાસભ્ય આવાસમાં ઘણા ધારાસભ્યો સાથે બેઠક કરી. આજે બપોર બાદ એક થઈને વિધાનસભા અધ્યક્ષને મળશે અને ત્રણ મુખ્ય મુદ્દા ઉઠાવશે.'

બળવાખોર ધારાસભ્યોની ત્રણ મુખ્ય માંગણીઓ

તૃણમૂલ કોંગ્રેસના હાંકી કઢાયેલા પ્રવક્તાએ કહ્યું, 'પહેલું, અમારી પાસે બે-તૃતીયાંશ બહુમતી છે. આશરે 50 ધારાસભ્યો અમારી સાથે છે. અમે જ અસલી તૃણમૂલ કોંગ્રેસ છીએ. બીજું, કે અમે અસલી તૃણમૂલ કોંગ્રેસ છીએ, તેથી વિપક્ષના નેતા રિતબ્રતા બેનર્જી હશે, શોભનદેબ ચટ્ટોપાધ્યાય નહીં. ત્રીજું, અમારી પાસે બે-તૃતીયાંશ બહુમતી છે, તેથી આ ચિહ્ન અમારું હોવું જોઈએ.'

મમતા અને અભિષેક બેનરજી પર નિશાન

રિજુ દત્તાએ કહ્યું કે, હું બે ખૂબ મહત્વની વાતો કહેવા માંગુ છું. પહેલી- અભિષેક બેનરજીએ જવાબદારી લેવી પડશે. જે લોકોને અભિષેક બેનરજી હાથ પકડીને આ પાર્ટીમાં લાવ્યા, તેમણે પાર્ટી સાથે દગો કર્યો છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનરજીએ પણ જવાબદારી લેવી પડશે. જે મેં 8 અને 9 તારીખે કહ્યું હતું, આજે તેઓ એ જ વાત કહી રહ્યા છે. તેઓ I-PACથી નારાજ છે. તેઓ અભિષેક બેનરજીથી નારાજ છે.'

વિપક્ષના નેતા પદ માટે ખેંચતાણ

બંગાળમાં ટીએમસીમાં ભંગાણના સમાચારોએ જોર એટલા માટે પકડ્યું કારણ કે મમતા બેનરજીએ સોમવારે બે ધારાસભ્યો રિતબ્રતા બેનર્જી અને સંદીપનને હાંકી કાઢ્યા. ગઈકાલે જ એક હોટેલમાં છ ધારાસભ્યો મળ્યા હતા, જ્યાં બે બળવાખોર ધારાસભ્યો પણ હાજર હતા. બળવાખોર ધારાસભ્યો રિતબ્રતા બેનર્જીને જ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવવા માંગે છે, જ્યારે મમતા બેનરજીએ તેમના નજીકના શોભનદેબ ચટ્ટોપાધ્યાયને LoP એટલે કે વિપક્ષના નેતા બનાવ્યા છે.

નકલી સહી મામલે CID તપાસ

સ્પીકરને જે પત્ર આપવામાં આવ્યો હતો તેમાં 13 ધારાસભ્યોના હસ્તાક્ષર કોઈ અન્ય વ્યક્તિએ કર્યા છે. સ્પીકરને ફરિયાદ મળી હતી જેની તપાસ હવે CID કરી રહી છે. આ જ મામલે ગઈકાલે અભિષેક બેનરજીને સીઆઈડીએ બોલાવ્યા હતા, પરંતુ તેઓ ગયા નહીં, સમય માંગ્યો. સીઆઈડીએ આઠ જૂને ફરીથી સમન્સ પાઠવ્યું છે. ધારાસભ્ય દળના નેતા, મુખ્ય વ્હીપવાળો પત્ર, અભિષેક બેનરજીએ સ્પીકરને લખ્યો હતો. ધારાસભ્યોના હસ્તાક્ષર વાળું પાનું તેની સાથે જોડ્યું હતું. ત્રણ ધારાસભ્યોએ સીઆઈડીને જણાવ્યું કે આ તેમના હસ્તાક્ષર નથી.

આ પણ વાંચો: લોકરમાં પડેલું સોનું કેવી રીતે બદલી શકે છે દેશનું નસીબ? જાણો PM મોદીની 'ગોલ્ડ રિસાયક્લિંગ' અપીલ પાછળનું કારણ

નવો નેતા પસંદ કરવાની વ્યૂહનીતિ

આવી સ્થિતિમાં બળવાખોર ધારાસભ્યોની છાવણી એ તૈયારીમાં છે કે જો 40થી વધુ ધારાસભ્યો તેમની સાથે આવી જાય તો બેઠક બોલાવીને, ટીએમસી ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી કરી લેવામાં આવે. કોઈ અન્ય વ્યક્તિને વિરોધ પક્ષના નેતા તરીકે સ્પીકર પાસે જઈને દાવો રજૂ કરે.