નવું ઘર ખરીદનારા માટે રાહત, સસ્તા અને નિર્માણાધિન મકાન પર GSTના દર ઘટ્યા
Updated: Feb 24th, 2019
નવી દિલ્હી, તા. 24 ફેબ્રુઆરી 2019, રવિવાર
કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણી પહેલા ઘર ખરીદનારાઓને GST દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. રવિવારે મળેલી GST કાન્સિલની બેઠકમાં GST કાઉન્સીલે નિર્માણાધિન યોજનામાં અને મકાનોમાં GST દર 12%થી ઘટાડીને 5% કરી છે. આ સિવાય સસ્તા ઘરોમાં પણ GST દ્વારા રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સસ્તા ઘરોમાં GST દર 8% થી ઘટાડીને 1% કર્યો છે.
નાણાંમંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે, હવે સસ્તા ઘરોમાં GST દર ટેક્સ ઇનપુટ ક્રેડિટ વગર 8%થી ઘટાડીને 1% કરી દેવામાં આવી છે. આ સિવાય બેઠકમાં સિમેન્ટના દરોમાં પણ ઘટાડો અને લોટરીના દરો એક સમાન રાખવા પર પણ ચર્ચા થઇ.
Gujarat