Get The App

‘આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે એ તો ભગવાન જ જાણે’, 'કોલકાતા' વાળી ધમકી પર રાજનાથ સિંહનો વળતો પ્રહાર

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
‘આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે એ તો ભગવાન જ જાણે’, 'કોલકાતા' વાળી ધમકી પર રાજનાથ સિંહનો વળતો પ્રહાર 1 - image


West Bengal Assembly Election 2026 : પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (India Defence Minister Rajnath Singh) ઉત્તર 24 પરગણા જિલ્લામાં બૈરકપુરમાં જનસભા ગજવી હતી. આ દરમિયાન તેમણે ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને જડબાતોડ જવાબ આપ્યો છે. આ ઉપરાંત તેમણે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ નિશાન સાધ્યું છે. 

પાકિસ્તાને 1971ની ઘટના ન ભૂલવી જોઈએ : રાજનાથ સિંહ

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે (Pakistan Defence Minister Khawaja Asif) આ વખતે છેક કોલકાતા સુધી હુમલા કરવાની ફોગટ ધમકી આપી હતી, ત્યારે આ મામલે આકરા પ્રહાર કરતાં રાજનાથ સિંહે કહ્યું છે કે, ‘પાકિસ્તાનના વિદેશ મંત્રીએ આવું ભડકાઉ ભાષણ ન કરવું જોઈએ. પાકિસ્તાને 55 વર્ષ પહેલાની 1971ની ઘટના ન ભૂલવી જોઈએ, કારણ કે તે વખતે પાકિસ્તાને બંગાળ તરફ નજર નાખવાનો પ્રયાસ કર્યો હતો અને છેવટે પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા હતા, જેમાં એક પાકિસ્તાન અને બીજું બાંગ્લાદેશ બની ગયું હતું. જો હવે પાકિસ્તાન ફરી બંગાળ પર નજર નાખશે તો આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે એ તો ભગવાન જ જાણે.’

આ પણ વાંચો : શ્રીનગરમાંથી 2 પાકિસ્તાની સહિત 5 આતંકીઓ ઝડપાયા, આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ

‘દીદીએ બંગાળને પાછળ ધકેલી દીધું’

રાજનાથ સિંહે તૃમણૂલ કોંગ્રેસના વડા અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Mamata Banerjee) પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘મમતા દીદી છેલ્લા ત્રણ ટર્મથી રાજ્યના મુખ્યમંત્રી છે, પરંતુ તેમણે પોતાના બંગાળના લોકો માટે શું કર્યું? તેમણે માત્ર અત્યાચાર કર્યા છે. તેમણે દેશના અન્ય રાજ્યોથી બંગાળને પાછળ ધકેલી દીધું છે. સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે ત્રણ ટર્મ બાદ બંગાળની હાલત બદતર કરી નાખી છે.’

આ પણ વાંચો : LPG અંગે કેન્દ્રનો મોટો નિર્ણય: તમામ રાજ્યો માટે 5 કિલોના સિલિન્ડરની સપ્લાય ડબલ