Get The App

રાજા રઘુવંશી હત્યાકાંડ ઉકેલાયો! ચારેય આરોપીઓએ કરી કબૂલાત, સોનમની સામે જ કરાઇ હતી હત્યા

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
Raja raghuvanshi


Raja Raghuvanshi Murder Case : રાજા રઘુવંશી હત્યા કેસથી સમગ્ર દેશમાં રોષની લાગણી પ્રસરી છે. આ કેસમાં સતત નવા રહસ્યો બહાર આવી રહ્યા છે. આ દરમિયાન હત્યાકાંડમાં સામેલ ચારેય આરોપીઓએ ગુનો કબૂલી લીધો છે. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ રાજા રઘુવંશીની હત્યા અને હત્યા પછી મૃતદેહને ઊંડી ખીણમાં ફેંકી દેવાની કબૂલાત કરી છે. ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. જેમાં રાજાની પત્ની સોનમ રઘુવંશીને મુખ્ય આરોપી તરીકે વર્ણવવામાં આવી છે.

આરોપીઓની કબૂલાત

ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, ‘રાજા પર પહેલો હુમલો વિશાલ ઉર્ફે વિકી ઠાકુરે કર્યો હતો. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ જણાવ્યું કે તેઓ પહેલા ઇન્દોરથી ટ્રેન દ્વારા ગુવાહાટી ગયા હતા અને ત્યાંથી શિલોંગ પહોંચ્યા હતા. સોનમનો પ્રેમી રાજ કુશવાહા આ સમય દરમિયાન ઇન્દોરથી અન્ય આરોપીઓને સૂચન આપી રહ્યો હતો. તેણે વિશાલ, આકાશ અને આનંદ નામના ત્રણ આરોપીઓને મેઘાલયમાં ખર્ચ માટે લગભગ 40-50 હજાર રૂપિયા આપ્યા હતા. હત્યા સમયે સોનમ રઘુવંશી પણ ત્યાં હાજર હતી. આરોપીએ કહ્યું કે સોનમ તેના પતિ રાજાને મરતા જોઈ રહી હતી.’ 

આ પણ વાંચોઃ રાજા રઘુવંશી મર્ડર કેસમાં મોટો ખુલાસો, પતિની હત્યા બાદ ઇન્દોર આવી હતી સોનમ, પ્રેમી સાથે ભાડાના રૂમમાં રોકાઈ હતી

સોનમને ગાઝીપુરથી કસ્ટડીમાં લેવામાં આવી હતી

નોંધનીય છે કે, હત્યાકાંડની મુખ્ય આરોપી સોનમ રઘુવંશીને સોમવારે (9 જૂન) સવારે ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી કસ્ટડીમાં લેવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, તેણે જણાવ્યું હતું કે, ‘મેઘાલયમાં જ્યારે તે તેના પતિના સાથે હતી ત્યારે કેટલાક લોકો દ્વારા તેને લૂંટવાનો પ્રયાસ કરાયો હતો, ત્યારબાદ તે બેહોશ થઈ ગઈ હતી અને તેને યાદ નથી કે તે ગાઝીપુર કેવી રીતે પહોંચી.’

આ પણ વાંચોઃ લવ અફેર, લગ્ન અને મર્ડર... રાજા રઘુવંશી મર્ડર કેસમાં અત્યાર સુધીના 10 ચોંકાવનારા ખુલાસા

રાજા હનીમૂન માટે મેઘાલય ગયો હતો

ઇન્દોરના રહેવાસી રાજા રઘુવંશીએ હત્યાના 12 દિવસ પહેલા સોનમ રઘુવંશી સાથે લગ્ન કર્યા હતા. તે અને સોનમ હનીમૂન માટે મેઘાલય ગયા હતા. આ પછી, 23 મેના રોજ, તે મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરા વિસ્તારમાં હતો, જ્યાંથી તે ગાયબ થઇ ગયો હતો. જે પછી 2 જૂનના રોજ તેનો મૃતદેહ ખીણમાંથી મળી આવ્યો હતો.

બસ મારા દીકરા માટે ન્યાય જોઈએ, આરોપીઓને કડક સજા થવી જોઈએ: રાજા રઘુવંશીની માતા ઉમા રઘુવંશી


મારો ભાઈ રાજ ક્યાંય ગયો નહોતો: રાજ કુશવાહની બહેન



મારો દીકરો આવું કંઈ ન કરી શકે, તેના પર ખોટો આરોપ મૂકાયો: રાજ કુશવાહની માતા


Tags :