Get The App

લવ અફેર, લગ્ન અને મર્ડર... રાજા રઘુવંશી મર્ડર કેસમાં અત્યાર સુધીના 10 ચોંકાવનારા ખુલાસા

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
લવ અફેર, લગ્ન અને મર્ડર... રાજા રઘુવંશી મર્ડર કેસમાં અત્યાર સુધીના 10 ચોંકાવનારા ખુલાસા 1 - image


MP Raja Raja Raghuvanshi Murder Case: મધ્યપ્રદેશના ઇન્દોરથી મેઘાલયના શિલોંગ સુધી ફેલાયેલા રાજા રઘુવંશી હત્યા કેસની કહાણી કોઈ થ્રિલર ફિલ્મથી ઓછી નથી. 11 મે 2025ના રોજ શરૂ થયેલી એક પ્રેમકથા, જે હનિમૂનના રોમાંચ સાથે શિલોંગ પહોંચી અને અચાનક એક ભયાનક ષડયંત્રમાં ફેરવાઈ ગઈ. આ કેસની માસ્ટર માઇન્ડ રાજાની પત્ની સોનમ રઘુવંશી પોતે જ નીકળી. સોનમને પહેલા આ કેસમાં પીડિત માનવામાં આવી હતી, કારણ કે  તે 17 દિવસથી ગુમ હતી. પરંતુ હવે આ હત્યામાં તેની મુખ્ય ભૂમિકા સામે આવી રહી છે અને આ હત્યાને લઈને 10 મોટા ખુલાસા થયા છે.

લગ્ન પહેલાં રચ્યું હતું કાવતરૂ

સોનમે રાજા રઘુવંશી સાથે લગ્ન કરતા પહેલાં જ તેની હત્યાની યોજના બનાવી લીધી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનમે પોતાના પ્રેમી કુશવાહા સાથે ગાઢ સંબંધ હતો અને તેણે આ કાવતરૂ લગ્ન પહેલાં જ ઘડ્યું હતું. આ ખુલાસો આ કેસને વધુ રહસ્યમય બનાવે છે કારણ કે, સોનમે પોતાના લગ્નને એક સુનિયોજિત જાળ સ્વરૂપે ઉપયોગ કર્યો.

આ પણ વાંચોઃ સોનમ પતિને 10 લાખની જ્વેલરી સાથે હનીમૂન પર લઇ ગઇ જ્યાં હત્યા કરાવી

હનિમૂનની પ્લાનિંગ સોનમે કરી

હનિમૂનનો આખો પ્લાન સોનમે ખુદ બનાવ્યો હતો. ટિકિટ બુકિંગથી લઈને હોટેલ અને ટ્રાવેલ સુધી દરેક પગલે સોનમનો કંટ્રોલ હતો. મેઘાલયના શિલોંગને હનિમૂન ડેસ્ટિનેશનના રૂપે પસંદ કરવું પણ તેની જ મરજી હતી. જેને હવે પોલીસે કાવતરાનો ભાગ માની રહી છે. 

રાજ કુશવાહા સાથે અફેર

સોનમ અને રાજ કુશવાહાનું લાંબા સમયથી અફેર ચાલતું. તે સોનમના પિતાના પ્લાયવુડના વ્યવસાયમાં બિલર તરીકે કામ કરતા અને રાજ સોનમ કરતાં પાંચ વર્ષ નાનો હતો. લગ્ન પહેલા બંને નજીક હતા અને કોલ ડિટેલ રેકોર્ડ દર્શાવે છે કે તેઓ સતત સંપર્કમાં હતા. આ અફેર હત્યાના કાવતરા પાછળનો મુખ્ય હેતુ બન્યો.

સોપારી કિલર્સને આપી હતી હત્યાની જવાબદારી

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, સોનમ તેના પ્રેમી રાજ કુશવાહા અને તેના ત્રણ મિત્રો વિશાલ સિંહ, આકાશ રાજપૂત અને આનંદ કુર્મી સાથે મળીને કોન્ટ્રાક્ટ કિલર રાખ્યા હતા. આ હત્યારાઓએ શિલોંગમાં રાજાની હત્યાને અંજામ આપ્યો હતો અને સમગ્ર યોજના સોનમની દેખરેખ હેઠળ ઘડવામાં આવી હતી.

ઘરેણાં અને પૈસાની લાલચ?

હનિમૂન દરમિયાન રાજા પાસે 10 લાખ રૂપિયાથી વધુ કિંમતના સોનાના દાગીના અને રોકડા હતા. પોલીસ અને પરિવારનું માનવું છે કે, આ કાવતરૂ ફક્ત પ્રેમ સંબંધને કારણે જ નહોતું, પરંતુ પૈસા અને ઘરેણાંનો લોભ પણ એક મોટું કારણ હોઈ શકે છે. હત્યા પછી સોનમે આ દાગીના અને રોકડ કબ્જે કરી લીધા હતા.

આ પણ વાંચોઃ હવામાન વિભાગનું એલર્ટ : ગુજરાત સહિત 18 રાજ્યોમાં વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી

ગાઝીપુરમાં સરેન્ડર, પરંતુ કહાણીમાં ટ્વિસ્ટ

9 જૂન 2025ના રોજ, સોનમે ઉત્તર પ્રદેશના ગાઝીપુરના એક ઢાબા પરથી તેના પરિવારને ફોન કર્યો અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. તેણે દાવો કર્યો કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને લૂંટ દરમિયાન રાજાની હત્યા કરવામાં આવી હતી. જોકે, પોલીસ તપાસમાં આ વાર્તા ખોટી સાબિત થઈ અને સોનમની મુખ્ય આરોપી તરીકે અટકાયત કરી લેવામાં આવી.

સાસુએ સાથે છેલ્લી વાત

23 મે, 2025ના દિવસે સોનમની તેની સાસુ ઉમા રઘુવંશી સાથે ફોન પર વાતચીત થઈ હતી જેમાં તેણે જંગલમાં ટ્રેકિંગ અને ઉપવાસ વિશે વાત કરી હતી. આ ભાવનાત્મક વાતચીતમાં તેણે થાક અને ખરાબ ખોરાકની ફરિયાદ કરી હતી, પરંતુ થોડા કલાકોમાં જ રાજાની હત્યા કરવામાં આવી હતી. આ વાતચીત પણ હવે એક ષડયંત્રનો ભાગ હોવાનું માનવામાં આવે છે જેણે પરિવારને મૂંઝવણમાં રાખ્યો હતો.

જ્યોતિષીની ચેતવણીને નકારી

સોનમના પિતા દેવીસિંહ રઘુવંશીએ દાવો કર્યો હતો કે એક જ્યોતિષીએ તેમને લગ્ન પછી દોઢ મહિના સુધી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી હતી. સોનમ અને રાજાએ આ ચેતવણીને નકારીને તેમના હનિમૂન માટે મેઘાલય જવાનું નક્કી કર્યું. આ નિર્ણય તેમના માટે માત્ર ઘાતક જ સાબિત ન થયો પરંતુ કાવતરાને અંજામ આપવાની તક પણ મળી.

સીસીટીવી ફૂટેજથી ખુલ્યું રહસ્ય

શિલોંગની હોટલ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજમાં સોનમ અને રાજા છેલ્લે સ્કૂટી પર સાથે જોવા મળ્યા હતા. વધુમાં, એક ટુરિસ્ટ ગાઈડે જણાવ્યું હતું કે તેમની સાથે ત્રણ અન્ય લોકો પણ હતા, જેઓ હિન્દીમાં વાત કરી રહ્યા હતા. આ ફૂટેજ અને જુબાનીએ પોલીસને કાવતરું ઘડવામાં અને સોનમની ભૂમિકાનો પર્દાફાશ કરવામાં મદદ કરી.

પોલીસને ગુમવરાહ કરવાનો પ્રયાસ

સોનમે હત્યા બાદ મેઘાલયથી ભાગીને ગાઝીપુર પહોંચી અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે અપહરણનો ભોગ બનનાર હોવાનો દાવો કરીને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોલ ડિટેલ રેકોર્ડ, સીસીટીવી ફૂટેજ અને ટુરિસ્ટ ગાઇડની જુબાનીએ તેના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. મેઘાલય પોલીસ હવે કેસના વધુ સ્તરો ખોલવા માટે સોનમ અને અન્ય આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે.

Tags :