Get The App

રાજા રઘુવંશી મામલે ભડકી કંગના રનૌત, કહ્યું- 'આ કેસ જોઈને તો મારું માથું દુખી ગયું, આ યુવતી ડિવોર્સ આપી શકતી હતી'

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News


રાજા રઘુવંશી મામલે ભડકી કંગના રનૌત, કહ્યું- 'આ કેસ જોઈને તો મારું માથું દુખી ગયું, આ યુવતી ડિવોર્સ આપી શકતી હતી' 1 - image


Kangana Ranaut Reaction On Raja Raghuvanshi Murder Case: બોલિવૂડની અભિનેત્રી કંગના રનૌત ઘણી વખત તેના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. તે ઘણી વખત દેશના મુદ્દાઓ પર પોતાનો પક્ષ રજૂ કરે છે.હાલમાં જ વાત કરીએ, તો દેશમાં રઘુવંશી મર્ડર કેસની ચર્ચા ચારેકોર થઈ રહી છે. રાજ રઘુવંશી અને તેની પત્ની સોનમ હનીમૂન માટે મેઘાલય ફરવા ગયા હતા, જ્યાં અચાનકથી તે ગુમ થયા હતા. 2 જૂને વેઇસાડોંગ ફૉલમાં રાજાની ડેડબૉડી મળી હતી. રાજની હત્યાના આરોપમાં પોલીસે તેની પત્ની સોનમની ધરપકડ કરી છે. આ કેસના મુદ્દે અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રનૌતે પણ પ્રતિક્રિયા આપી છે. 

શું કહ્યું કંગનાએ? 

કંગનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટ રાજા રઘુવંશી મર્ડર કેસની અપડેટને લઈને કરી હતી. કંગનાએ લખ્યું હતું કે 'કેટલી વિચિત્ર વાત છે. છોકરીઓ માતા-પિતાને લગ્ન માટે ના બોલવાની હિમંત પણ નથી રાખી શકતા,પણ કોઈની હત્યા કરવાના ષડયંત્રની યોજના બનાવી કોન્ટ્રાક્ટ કિલર્સને હાયર કરી લે છે. આ મારા મગજમાં સવારથી ચાલી રહ્યું હતું, આ કેસ જોઈને તો મારું માથું દુખી ગયું. આ છોકરી છૂટાછેડા આપી શકતી હતી,અથવા તેના પ્રેમી જોડે ભાગી શકતી હતી. આ કેટલું નિર્દય કામ કર્યું છે, અને તેનાથી પણ વધુ કેટલું મૂર્ખામી ભરેલું કામ કર્યું છે.'

રાજા રઘુવંશી મામલે ભડકી કંગના રનૌત, કહ્યું- 'આ કેસ જોઈને તો મારું માથું દુખી ગયું, આ યુવતી ડિવોર્સ આપી શકતી હતી' 2 - image

'આવા લોકોથી સાવધાન રહો'

કંગનાએ આગળ લખ્યું 'આવા લોકો ખૂબ મૂર્ખ હોય છે. કોઈ મૂર્ખ વ્યક્તિને ક્યારેય હળવાશથી ન લેવો જોઈએ.આ કોઈ પણ સમાજ માટે ખૂબ મોટો ખતરો છે. આપણે હંમેશા આવા લોકો પર હસીએ છીએ અને વિચારીએ છીએ કે આ તો કંઈ કરી શકે નહીં. પરંતુ આ ખોટી વાત છે.બુદ્ધિશાળી લોકો ભલે પોતાના ફાયદા માટે બીજાને નુકસાન પહોંચાડતા હોય, પરંતુ તમારે યાદ રાખવું જોઈએ કે મૂર્ખ લોકોને ખબર નથી હોતી કે તેઓ શું કરી રહ્યા છે. આવા લોકોથી સાવધાન રહો.'

Tags :