પુલવામા હુમલા બાદ સરકારે બોલાવી સર્વદળિય બેઠક
Updated: Feb 15th, 2019
નવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2019, શુક્રવાર
પુલવામામાં CRPFના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ મોદી સરકારે સર્વદળિય બેઠક બોલાવી છે. આ બેઠક આવતીકાલે સવારે સંસદની લાઇબ્રેરીમાં કાલે સવારે 11 વાગ્યે મળશે. જેમાં આતંકી હુમલા અને તેના બાદની યોજના પર ચર્ચા થવાની શક્યતા છે.
નોંધનિય છે કે, ગઇકાલે પુલવામામાં CRPFના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો જેમાં 44 જવાનો શહીદ થયા છે. આવતીકાલે મળનારી સર્વદળિય બેઠકમાં આ હુમલા અંગની ચર્ચા અને આગળની યોજના અંગં ચર્ચા થાય તેવી શક્યતા છે.
Gujarat