For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આતંકવાદી હુમલાથી વ્યથિત વિરાટ કોહલીએ રદ કર્યો પોતાનો કાર્યક્રમ

Updated: Feb 16th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 16. ફેબ્રુઆરી 2019 શનિવાર

પુલવામા આતંકવાદી હુમલાથી વ્યથિત ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ શહીદ જવાનો માટે પોતાની સંવેદના વ્યક્ત કરી છે.

વિરાટ કોહલીએ પોતાના ફાઉન્ડેશન દ્વારા આજે યોજાનારો સ્પોર્ટસ ઓનર્સ પ્રોગ્રામ ટાલી દીધો છે.કોહલીએ ટ્વિટ કરીને લખ્યુ હતુ કે ખે્લાડીઓને પુરસ્કારથી સન્માનિત કરવાનો કાર્યક્રમ શનિવારે યોજાવાનો હતો પણ દુખની આ ઘડીમાં જ્યારે દેશ આખો ગમગીન છે ત્યારે અમે પણ આ દુખમાં સામેલ છે.શનિવારે યોજાનારો કાર્યક્રમ રદ કરવામાં આવે છે.

કોહલીએ અગાઉ પણ ટ્વિટમાં કહ્યુ હતુ કે હુમલાથી હું સ્તબ્ધ છું અને શહીદ જવાનોના પરિવારજનો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરુ છુ.

Gujarat