શહિદોના પરિવાર માટે 36 કલાકમાં 7 કરોડની સહાય, બીગ બીએ પણ કરી આ જાહેરાત
Updated: Feb 17th, 2019
નવી દિલ્હી,તા.17.ફેબ્રુઆરી 2019, રવિવાર
પુલવામાના આતંકવાદી હુમલા બાદ દેશના સુરક્ષાદળો અને જવાનો પ્રત્યે લોકોમાં માન, સન્માન અને સહાનૂભૂતિનો અભૂતપૂર્વ જુવાળ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં શહીદ થયેલા 40 જવાનોના પરિવાજનોની સહાયત માટે લોકોએ સહાયનો ધોધ વરસાવ્યો છે.આ જવાનોના પરિવારોને આર્થિક સહાય આપવા માટે બનાવાયેલા પોર્ટલ ભારત કે વીર પર 36 કલાકમાં જ 7 કરોડ રુપિયાની સહાય લોકો કરી ચુક્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ લેભાગુઓને ધ્યાનાં રાખીને ભારત કે વીર પોર્ટલ સિવાય બીજા કોઈ મંચ પર સહાયતા નહી આપવા માટે અપીલ કરી છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચને શહીદના દરેક પરિવારને પાંચ લાખ રુપિયાની સહાયની જાહેરાત કરી છે.અભિનેતાના પ્રવક્તાએ કહ્યુ હતુ કે અમે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે ક્યાં અને કેવી રીતે આ રકમને આપવામાં આવે જેથી કરીને તે શહિદોના પરિવારજનો સુધી વહેલી તકે પહોંચી શકે.
Gujarat