For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશના જવાનોનું મનોબળ વધ્યુ, આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આપણે સફળ: રાજનાથ સિંહ

Updated: Feb 18th, 2019

Article Content Imageશ્રીનગર, તા. 18 ફેબ્રુઆરી 2019 સોમવાર

જમ્મુ કાશ્મીરના પુલવામા CRPFના કાફલા પર થયેલા હુમલા બાદ ખીણમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઑપરેશન ચાલુ છે. પુલવામામા સોમવારે થયેલી અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. જોકે, આમાં સેનાના ચાર જવાન પણ શહીદ થયા છે.

આ વચ્ચે મીડિયા સાથે વાત કરતા ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે દેશના જવાનોનું મનોબળ ઘણુ ઉંચુ છે. રાજનાથ સિંહે કહ્યુ કે દેશના જવાન આતંકવાદનો સફાયો કરવામાં સફળ થઈ રહ્યા છે.

અગાઉ રવિવારે ભુવનેશ્વરમાં રાજનાથ સિંહે કહ્યુ હતુ કે પુલવામા હુમલાનો બદલો લઈને રહેશે. હું સમજી શકુ છુ કે તમામના દિલમાં શું તડપ છે કે જે આતંકવાદીઓએ કર્યુ છે, તેનો બદલો કેવી રીતે લેવામાં આવે. રાજનાથ સિંહે કહ્યુ હતુ કે ગૃહમંત્રી હોવાના સંબંધે દેશને સુનિશ્ચિત કરવા ઈચ્છુ છુ કે જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય.

Gujarat